હરિયાણાના યમુનાનગરમાં દશેરા પ્રસંગે રાવણનું સળગતું પૂતળું લોકોની ભીડ પર તૂટી પડતાં 15થી વધારે લોકો દાઝ્યાં હતા.
હરિયાણાના યમુનાનગરમાં રાવણ દહન વખતે મોટી દુર્ઘટના
રાવણનું સળગતું પૂતળું લોકોની ભીડ પર તૂટી પડ્યું
15થી વધારે લોકો ઘાયલ
લોકો વેળાસર ચેતી ગયા નહીંતર ભારે જાનહાની થઈ હોત
વિજયાદશમીએ રાવણનું પૂતળું સળગાવવાની અનોખી પરંપરા છે. આ પરંપરા અનુસાર, બુધવારે સમગ્ર દેશમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હરિયાણાના યુમુનાનગરમાં એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી.
#WATCH | Haryana: A major accident was averted during Ravan Dahan in Yamunanagar where the effigy of Ravana fell on the people gathered. Some people were injured. Further details awaited pic.twitter.com/ISk8k1YWkH
રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું
રાવણ દહન દરમિયાન રાવણનું પૂતળું લોકોની ભીડ પર પડ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે રાવણનું પૂતળું પડવાના કારણે 15 લોકો ઘાયલ થયા હતા.
#WATCH हरियाणा: यमुनानगर में रावण दहन के दौरान लोगों पर रावण का पुतला गिरा। हादसे में कुछ लोग घायल हो गए हैं। अधिक जानकारी की प्रतिक्षा है। pic.twitter.com/wMiYfR7L5P
સળગતા પૂતળાનો વીડિયો થયો વાયરલ
એએનઆઈએ આ ઘટનાનો એક વીડિયો શેર કર્યો છે. યમુનાનગરમાં દશેરાના દિવસે મોડી સાંજે રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાવણ, મેઘનાથ અને કુંભકરણના પૂતળાને આગ ચાંપી દેવામાં આવી હતી. અચાનક જ રાવણનું સળગતું પૂતળું લોકોની ભીડ પર પડ્યું. રાવણ દહનનો કાર્યક્રમ જોવા માટે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. અચાનક સળગતું પૂતળું ભીડ પર તૂટી પડતાં લોકોમાં નાસભાગ મચી હતી અને આ દરમિયાન 15થી વધુ લોકો દાઝી ગયા હતા.
દેશભરમાં રાવણના પૂતળાનું દહન
વિજયાદશમીના પર્વ પ્રસંગે દેશના અનેક શહેરોમાં રાવણના પૂતળાનું દહન કરાયું હતું. સૌથી પહેલા પંજાબના અમૃતસર અને બિહારના પટણામાંથી રાવણના પૂતળાનું દહન શરુ કરવામાં આવ્યું હતું જે પછી દેશના લગભગ તમામ શહેરોમાં રાવણને ભડભડ બળતો જોઈ શકાતો હતો. આજે દેશભરમાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દશેરા એ બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે. આ દિવસે રાવણ દહન કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે ભગવાન રામે માતા સીતાને રાવણના ચુંગાલમાંથી મુક્ત કર્યા હતા અને રાવણનો વધ કર્યો હતો.