પોલીસ સ્ટેશનના માલખાનામાંથી 29 હજાર લીટર દારુની બોટલો તથા કંટેનરોમાંથી ગાયબ થઈ ગઈ.
ઉંદરોએ દારુની બોટલ કોતરી નાંખી અને ગટકી ગયા
ઉંદરો ગાંજો, અફીણ જેવા માદક પદાર્થોના ડબ્બા તથા પોટલીને પણ કોતરી નાંખી
આ મહિને નષ્ટ કરવાની હતી. 2230 લીટર દારુ
ઉંદરોએ દારુની સાથે સાથે ગાંજો, અફીણ જેવા માદક પદાર્થોના ડબ્બા તથા પોટલીને પણ કોતરી નાંખી
હરિયાણાના ફરીદાબાદ શહેરમાં એક હેરાન કરનારા સમાચાર સામે આવ્યા છે. અહીં પોલીસ સ્ટેશનના માલખાનામાંથી 29 હજાર લીટર દારુની બોટલો તથા કંટેનરોમાંથી ગાયબ થઈ ગઈ. પોલીસનું કહેવું છે કે આ કામ ઉંદરોએ કર્યુ છે. ઉંદરોએ દારુની સાથે સાથે ગાંજો, અફીણ જેવા માદક પદાર્થોના ડબ્બા તથા પોટલીને પણ કોતરી નાંખી છે. હકિકતમાં એક વર્ષ બાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં જપ્ત દારુને નષ્ટ કરવા પોલીસ કમિશનરે ઓફિસ પાસેથી આંકડા મંગાવ્યા હતા. આ દરમિયાન જાણવા મળ્યું કે માલખાનામાંથી ઉંદરોએ આતંક મચાવી રાખ્યો છે.
ઉંદરોએ દારુની બોટલ કોતરી નાંખી અને ગટકી ગયા.
પોલીસ આંકડા મુજબ ગત વર્ષ તમામ પોલીસ સ્ટેશનો લગભગ 53, 473 લીટર દારુ 29, 995 લીટર અંગ્રેજી દારુ, 2804 કેન બિયર તતા 805 લીટર કાચી દારુ જપ્ત કરવામાં આવી હતી. આ તમામ શહેરના તમામ સ્ટેશનમાં દાખલ 824 કેસ હેઠળ જપ્ત કરવામાં આવી હતી. આ દારુના શહેરના વિભિન્ન પોલીસ સ્ટેશનમાં જપ્ત કરવા માલખાનામાં રાખવામાં આવ્યા હતા. પણ ઉંદરોએ આને કોતરી નાંખ્યા અને ગટકી ગયા.
આ મહિને નષ્ટ કરવાની હતી. 2230 લીટર દારુ
824 કેસમાંથી 49 મામલામાં કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. તેમાંથી પોલીસે આ મહિને 982 લીટર દેશી દારુ, 1169 અંગ્રેજી દારુ તથા 30 બિયરના કેન નષ્ટ કરશે. આને નષ્ટ કરવા પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિમાં 2 અન્ય અધિકારીઓ તથા ગણમાન્ય લોકોનો પણ સમાવેશ કરાશે.
ઉંદરોએ સૌથી વધારે દેશી તથા કાચી દારુ ખતમ કરી
પોલીસ સૂત્રોનું માનીએ તો ઉંદરોએ સૌથી વધારે દેશી દારુની બોટલોને કાપી છે. કેમ કે દેશી દારુની બોટલો પ્લાસ્ટિકની હોય છે. ત્યારે કાચી દારુને પણ પ્લાસ્ટીકના કન્ટેનરમાં રાખવામાં આવે છે. તેવામાં ઉંદરે વધારે નુકસાન પહોંચાડ્યું છે. આંકડામાં જણાવ્યાનુંસાર ઉંદરના દેશી તથા કાચી દારુ મળતા લગભગ 20 હજાર લીટર દારુ ગટકાવી દીધી છે અથવા કાપવાના કારણે દારુ વહી ગઈ છે. ત્યારે અંગ્રેજી દારુની બોર્ટલોના ઢાંકણા કાપીને ઉંદરે લગભગ 09 હજાર લીટર જપ્ત દારુ ગાયબ કરી દીધી છે.