નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા પર બીજેપીએ કટાક્ષ કર્યો છે. હરિયાણા સરકારમાં મંત્રી અનિલ વિજે કટાક્ષ કરતા કહ્યું છે કે નવજોત સિંહ સિદ્ધુ બીજેપીના રિજેક્ટેડ માલ છે. સિદ્ધુને રવિવારે મંત્રી તરીકે પંજાબ સરકારથી રાજીનામુ આપ્યું છે. નવજોત સિંહ સિદ્ધુને રાહુલ ગાંધીને રાજીનામુ મોકલ્યું છે.
ખાસ વાત એ છે કે નવજોત સિંહ સિદ્ધુએ આ રાજીનામુ 10 જુને જ રાહુલ ગાંધીને મોકલ્યું હતું, પરંતુ આજે તેનો ખુલાસો કર્યો હતો.
હરિયાણાના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અનિલ વિજને જ્યારે આ મામલા પર પ્રતિક્રિયા માંગવામાં આવી તો, એમણે કટાક્ષ કરતા કહ્યું કે સિદ્ધૂ ભારતીય જનતા પાર્ટીના રિજેક્ટેડ માલ છે. પોતાના નિવેદનનોને લઇને ચર્ચામાં રહેનાર અનિલ વિજે કહ્યું કે, જે બીજેપીથી રિજેક્ટ થઇ જાય છે તો કોઇપણ પાર્ટીથી ફિટ નથી થતા.
અનિલ વિજે કહ્યું કે, ''નવજોત સિંહ સિદ્ધુ બીજેપીના રિજેક્ટેડ માલ છે. જે ભાજપથી રિજેક્ટ થઇ જાય છે તે કોઇપણ પાર્ટીમાં ફિટ બેસી શકતી નથી. પછી સિદ્ધુ રાજીનામું આપે અથવા કંઇ પણ હોય પરંતુ તે રહેશે હંમેશા રિજેક્ટેડ માલ.''
આપને જણાવીએ કે, નવજોત સિંહ સિદ્ધુ જુલાઇ 2016માં બીજેપી છોડીને કોંગ્રેસમાં સામેલ થયા હતા. સિદ્ધુ પર અનિલ વિજે પહેલા પણ હુમલો કરતા રહ્યા છે. આ પહેલા મે માસમાં અનિલ વિજે કહ્યું હતું કે સિદ્ધુની સામે હવે માત્ર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટીમાં સામેલ થવાની તક બચી છે.