પાકિસ્તાની ગોળીબારમાં હરિયાણાના અંબાલા શહેરના જનસુઈ ગામના રહેવાશી સિનિયર હવાલદાર નિર્મલ સિંહ શહીદ થતા ગામમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું.નિર્મલસિંહ સેનાની 10 મી રાઈફલમાં તહેનાત હતા.
. શહીદ નિર્મલસિંહના પૂરા રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર
. પાકિસ્તાની ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયેલા હવાલદારનું નિધન થયું
.નિર્મલસિંહની શહાદતની ખબર મળતા ગામ આખુ હીબકે ચડ્યું
સવારના 11 ની આસપાસ પાકિસ્તાની સેનાએ અંકૂશરેખાએ યુદ્ધવિરામનો ભંગ કરીને ભારતીય દળો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં ફરજ પર રહેલા સિનિયર હવાલદાર નિર્મલસિંહ ગંભીર ઘવાયા હતા, તેમને સારવાર અર્થે તાત્કાલિક સેનાની હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ ત્યાં તેમનું નિધન થયું હતું. શુક્રવારે સાંજના તેમના મૃતદેહને તેમના માદરે વતન પહોંચાડાયો હતો જ્યાં પૂરા રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.
કેપ્ટન વઝીરસિંહે એવું જણાવ્યું કે સવારના 8 વાગ્યાની આસપાસ નિર્મલસિંહે સરકારી ફોન પરથી પત્ની સાથે વાતચીત કરીને સહુના ખબર અંતર પૂછ્યા હતા. પત્ની સાથેની વાતચીતમાં નિર્મલસિંહે અહીં બધુ બરાબર હોવાનું જણાવ્યું હતું.નિર્મલસિંહ 3 મહિના પહેલા જ વતનમાંથી ફરજ પર હાજર થયા હતા.
હવાલદાર નિર્મલસિંહ તેમની પાછળ પત્ની, નવ વર્ષની દિકરી અને 3 વર્ષના પૂત્રને વિલાપ કરતા છોડી ગયા છે.