સોશિયલ મીડિયા પર હાલ એક લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. જેમાં BJP, JJP, RSSના નેતાઓને ન આવવા માટે અપીલ કરવામાં આવી છે.
દિકરીના લગ્ન માટે પિતાએ છપાવ્યું અનોખુ આમંત્રણ
BJP, JJP, RSSના નેતાઓને આવવાનો કર્યો ઈનકાર
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે આ કાર્ડ
કૃષિ કાયદા ( Farm Laws )ને લઈને પ્રદેશમાં શરૂ થયેલા ભાજપ, જજપા અને આપએસએસ ( Bjp-jjp leader ) નેતાઓનો વિરોધ કૃષિ કાયદો પરત લેવા છતાં નથી રોકાયો. ત્રણ કૃષિ કાયદાઓ બનાવ્યા બાદથી જ પ્રદેશમાં ભાજપ અને જજયા પાર્ટીના ધારા સભ્યો, મંત્રીઓ અને નેતાઓનો વિરોધ શરૂ થઈ રહ્યો છે.
દિકરીના લગ્ન માટે છપાવ્યું અનોખુ આમંત્રણ
સરકારનો કોઈ કાર્યક્રમ હોય કે નેતાઓનો ખાનગી કાર્યક્રમ, દરેક જગ્યા પર આંદોલનકારી ખેડૂતો કાળા ઝંડા લઈને પહોંચી જાય છે. ઘણી વખત નેતાઓને કાર્યક્રમ રદ પણ કરવો પડે છે. હાલ લગ્નની સીઝન ચાલી રહી છે તો લોકોએ નેતાઓનો વિરોધ કરવા માટે એક અનોખી રીત શોધી કાઢી છે. હવે લગ્નના આમંત્રણ પર લખવામાં આવી રહ્યું છે કે ભાજપ અને જજપાના કોઈ નેતા આ લગ્નમાં શામેલ ન થાય. આવું જ એક કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે આ કાર્ડ
ઈજ્જરના ગામ માતનહેલ નિવાસી વિશ્વ ઝાટ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જવાન-જય કિસાન શ્રમિક કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ બ્લોક સમિતિ ચેરમેન રાજેશ ધનખડેએ એક ડિસેમ્બરે થવા જઈ રહેલા પોતાની દિકરીના લગ્નના કાર્ડ પર જ સંદેશ લખાવી દીધો કે ભાજપ, જજપા અને આરએસએસ સાથે જોડાયેલા લોકો આ લગ્નથી દૂર રહે.
બુધવારે બાબલના અંબેડકર પાર્કમાં પહોંચેલા ખેડૂત નેતા યુદ્ધવીર સિંહે પોતાના નામે આવેલા આ કાર્ડને મંચ પર પ્રદર્શિત કર્યું અને ભાજપ, જજપા અને આરએસએસ સાથે જોડાયેલા નેતાઓ અને કાર્યકર્તાઓના વિરોધમાં લોકોને એકત્રિત થવા માટે આમંત્રણ આપ્યું હતું.