હરિયાણા સરકારે રાજ્યમાં વધુ 1 સપ્તાહ લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે.
હરિયાણામાં 1 સપ્તાહ લોકડાઉન લંબાવાયું
રાજ્યમાં ત્રીજી વાર લોકડાઉન લંબાવાયું
સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે કરી જાહેરાત
મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રવિવારે પાણીપતમાં લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી. ખટ્ટરે પાણીપતમાં 500 બેડના કોવિડ કેર સેન્ટરનું પણ ઉદ્ધાટન કર્યું હતું.
રાજ્યમાં ત્રીજી વાર લોકડાઉન લંબાવવાની જાહેરાત કરતા સ્ટેટ હેલ્થ મિનિસ્ટર અનિલ વીજે ટ્વિટર પર જણાવ્યું કે લોકડાઉનનું પાલન કરાવવા માટે કકડમાં કડક પગલાં ભરવામાં આવશે. લોકો સ્વૈચ્છાએ લોકડાઉનનું પાલન કરે તે જરુરી છે.
ઉલ્લેખનીય છે કે હરિયાણાં આ ત્રીજી વાર લોકડાઉન લંબાવાયું છે. આ પહેલા 10 થી 17 મે સુધી લોકડાઉન લંબાવાયું હતું. પહેલી વાર 3 મે એ એક અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.
દિલ્હીમાં પણ લોકડાઉન 1 અઠવાડિયું લંબાવાયું
દિલ્હીમાં કોરોનાની ઝડપને રોકવા માટે લગાવવામાં આવેલું લોકડાઉન ફરી એક અઠવાડિયા માટે લંબાઈ ગયું છે. સીએમ અરવિંદ કેજરીવાલે કોરોના સંક્રમણની ચેનને તોડવા માટે 17મેના રોજ પૂર્ણ થતું લોકડાઉન એક અઠવાડિયા માટે વધારવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સીએમએ વેક્સીનની કમી પર કેન્દ્ર સરકારને ચિઠ્ઠી પણ લખી છે. સીએમએ કહ્યું કે દિલ્હીમાં કાલે સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન હતું. જેને દિલ્હીમાં સારા સ્તરની રિકવરીને જોતા અથવા કોરોના ઝડપથી ઓછો થાય છે. પરંતુ દિલ્હીએ જે કામયાબી હાસલ કરી છે તે ઓછી ન થાય તે માટે વધુ એક અઠવાડિયાનું લોકડાઉન લગાવી રહ્યા છીએ. આવતા સોમવારે 5 વાગ્યાથી લોકડાઉન વધારવામાં આવશે.