હરિયાણામાં પ્રદર્શનકારીઓના વિરુદ્ધ લાઠીચાર્જનો આદેશ આપનારા અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહીની માંગને લઈને કરનાલમાં ખેડૂતોના ધરણા પ્રદર્શન જારી છે. હરિયાણા સરકારે કરનાલમાં ખેડૂતોના આંદોલન જોતા જિલ્લામાં મોબાઈલ, ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓને પ્રતિબંધિત કરી દીધી છે.
Haryana: Farmers continue their demonstration outside mini secretariat in Karnal, demanding action against the officials who ordered lathi-charge against protesters in the district last month
State Govt has suspended mobile internet and SMS services in the district today pic.twitter.com/ufftkQswkb
કરનાલમાં મિની સચિવાલયની બહાર ખેડૂતોનું પ્રદર્શન જારી
જાણકારી મુજબ કરનાલમાં મિની સચિવાલયની બહાર ખેડૂતોનું પ્રદર્શન જારી છે. ગત મહિને જિલ્લામાં પ્રદર્શનકારીઓની વિરુદ્ધ લાઠીચાર્જની આદેશ આપનારા અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓ રદ્દ
જાણકારી મુજબ હરિયાણા સરકારે કરનાલમાં ખેડૂતોના આંદોલનને જોતા ખોટી માહિતીના પ્રસારને રોકવા માટે જિલ્લામાં મોબાઈલ, ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓને રદ્દ કરી દીધી છે. આ આદેશ આજે રાતે 11.59 વાગ્યા સુધી અમલમાં રહેશે.
In view of farmers' agitation in Karnal, Haryana Govt suspends mobile internet & SMS services in the district "to stop the spread of misinformation"; the order to remain in effect till 11:59 pm today pic.twitter.com/EtN0IfZjQd
ઉલ્લેખનીય છે કે ગત 28 ઓગસ્ટે ખેડૂતો પર લાઠીચાર્જ બાદ પોતાની માંગને લઈને કરનાલમાં ખેડૂત ધરણા અને વિરોધ પ્રદર્શન સતત કરી રહ્યા છે.
પ્રદર્શન રોકવા કલમ 144 લગાવાઈ
ઉલ્લેખનીય છે કે કરનાલ જિલ્લામાં લોક સુરક્ષા અને કાયદા વ્યવસ્થા પર પ્રતિકુળ પ્રભાવ પડી શકે છે તથા વિરોધના તેજ થવાના આસાર હોવાથી આદેશમાં કહેવામાં આવ્યું હતું કે મોબાઈલ ફોન અને એસએમએસ પર વ્હોટ્સએપ, ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા મંચોના માધ્યમથી ખોટી માહિતી અને અફવાહોના પ્રસાર પર કાબૂ માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓને રદ્દ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આમાં કહેવામાં આવ્યું છે કે હરિયાણાના તમામ દૂરસંચાર સેવા પ્રદાતાઓને આદેશનું પાલન સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. આ પહેલા કરનાલમાં મંગળવારે લધુ સચિવાલયના ઘેરાવ કરવાના ખેડૂતોના કાર્યક્રમના એક દિવસ પહેલા પ્રશાસને સોમવારે લોકોને ભેગા થતા પહેલા પ્રતિબંધ લગાવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે જિલ્લા પ્રશાસને દંડ પ્રક્રિયા સંહિત (સીઆરપીસી)ની કલમ 144 અંતર્ગત નિષેઘાજ્ઞા લાગૂ કરી પાંચ અથવા તેનાથી વધારે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.