મનોહરલાલ ખટ્ટર આવતીકાલે આવતીકાલે 2 વાગ્યે શપથગ્રહણ સમારોહમાં હાજર રહેશે અને શપથ લેશે. મળતી માહિતિ અનુસાર મનોહરલાલ ખટ્ટરની સાથે ડેપ્યુટી CM પણ શપથ લઈ શકે છે. હરિયાણામાં ધારાસભ્ય દળની બેઠક બનશે અને તેમાં બે ડેપ્યુટી CMની ફોર્મ્યૂલા પર ચર્ચા કરાશે. ઉલ્લેખનીય છે કે ભાજપમાંથી ડેપ્યુટી CM માટે અનિલ વિજ રેસમાં ઉતર્યા છે.
હરિયાણામાં બનશે ગઠબંધનની સરકાર
ભાજપ સરકાર બનાવવાનો દાવો કરશે
આવતીકાલે યોજાશે શપથગ્રહણ સામારોહ
મનોહર ખટ્ટર CM પદના શપથ લેશે
JJPના નેતા બનશે નાયબ મુખ્યમંત્રી
આ નેતાઓ આજે લેશે શપથ
આવતીકાલે મનોહરલાલ ખટ્ટર મુખ્યમંત્રી પદના શપથ લેશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે JJPના નેતાની પસંદગી કરાશે. ઉપરાંત મંત્રીમંડળમાં પણ JJPના 4 સભ્યોને સ્થાન મળી શકે છે. આ શપથ ગ્રહણ સમારોહ ચંડીગઢમાં યોજાશે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ આ શપથગ્રહણ સમારોહમાં હાજર રહેશે. મહત્વનું છે કે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોઇ પક્ષને બહુમતી મળી નથી.
Chandigarh: Meeting of BJP legislative party to be held later today at UT Guest house. Finance Minister Nirmala Sitharaman and BJP General Secretary Arun Singh to be present as observers. #HaryanaAssemblyPollspic.twitter.com/Ced7AvRjSn
બીજેપી વિધાયક દળના નેતાની પસંદગી કરવા માટે ચંડીગઢમાં બીજેપી વિધાયક દળની બેઠક યોજવામાં આવી છે. તેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને બીજેપી મહાસચિવ અરુણ સિંહ પર્યવેક્ષકની ફરજ અદા કરશે. બીજેપી અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે કહ્યું કે જનતાએ બંને દળને જનાદેશ આપ્યો છે અને બંને પાર્ટીઓના નેતાઓએ નક્કી કર્યું છે કે હરિયાણામાં બીજેપી અને જેજેપી મળીને સરકાર બનાવશે. તેઓએ કહ્યું કે અમારા ગઠબંધનને અનેક નિર્દલીય વિધાયકોએ પણ સમર્થન આપ્યું છે. વિધાનસભામાં બીજેપીને 40 સીટ મળી છે અને જેજેપીને 10 વિધાયકોનું સમર્થન મળ્યું છે.
જેજેપી પ્રમુખ દુષ્યંત ચૌટાલા શુક્રવારે બપોરે પોતાના પિતાને મળવા તેઓએ પ્રેસ કોન્ફરન્સમાં રણનીતીનો ખુલાસો કર્યો. ચૌટાલાએ બપોરે દિલ્હીની તિહાડ જેલમાં નંબર -2માં પહોંચ્યા અને સાથે જ તામઝામની મજા લીધી. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા લાંબા સમયથી કેદ છે. ઉલ્લેખનીય છે કે ચૌટાલાએ પિતા અજયની સાથે આગળની રણનીતિને માટે ચર્ચા કરી છે.