હરિયાણા સરકારે ખેડૂતોને આંદોલન કરતા જોઈને હિસારમાં સુરક્ષા વધારી દીધી છે.
સરકાર તરફથી RAFના 3 હજાર જવાનોને તૈનાત
આંદોલન દરમિયાન 300થી વધારે ખેડૂતોની વિરુદ્ધ પ્રશાસને એફઆઈઆર નોંધી હતી
24 મેએ થનારુ પ્રદર્શન શાંતિપૂર્ણ રહેશે -ખેડૂતો
સરકાર તરફથી RAFના 3 હજાર જવાનોને તૈનાત
હરિયાણા સરકારે ખેડૂતોને આંદોલન કરતા જોઈને હિસારમાં સુરક્ષા વધારી દીધી છે. સરકાર તરફથી RAFના 3 હજાર જવાનોને તૈનાત કર્યા છે. ગત નવેમ્બરે કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન દરમિયાન 300થી વધારે ખેડૂતોની વિરુદ્ધ પ્રશાસને ગુનાહિત મામલા નોંધ્યા હતા. તે મામલાને ખતમ કરવાની માંગને લઈને સોમવારે ખેડૂત વરિષ્ઠ પોલીસ અધિકારીના નિવાસ પર ધરણા કરવાની તૈયારીમાં છે.
24 મેએ થનારુ પ્રદર્શન શાંતિપૂર્ણ રહેશે -ખેડૂતો
જો કે ખેડૂતોનું કહેવુ છે કે 24 મેએ થનારુ પ્રદર્શન શાંતિપૂર્ણ રહેશે. પરંતુ જો પોલીસ તેમની સાથે જબરજસ્તી કરે છે તો તે આકરા પગલા ભરી શકે છે. જેવો વ્યવહાર પ્રશાસન તરફથી કરવામાં આવશે અમે પણ તેવો જ કરીશું. ભારતીય કિસાન યુનિયનના નેતા આઝાદ પાલવાએ મીડિયાને કહ્યુ કે ખેડૂતોની સાથે વાતચીત થઈ હતી તે સમજૂતી બાદ પણ પ્રશાસનના વિભિન્ન કલમો હેઠળ ખેડૂતો પર કેસ દાખલ કરવામાં આવ્યા છે.
12 પ્રમુખ વિપક્ષી દળોએ દેશવ્યાપી પ્રદર્શન મોટા સમર્થનની જાહેરાત કરી
બીજી તરફ દેશના 12 પ્રમુખ વિપક્ષી દળોએ કેન્દ્રના કૃષિ કાયદાની વિરુદ્ધ દિલ્હીની બોર્ડર પર જારી ખેડૂત આંદોલનને 6 મહિના પુરા થવાના પ્રસંગે 26 મેએ સંયુક્ત ખેડૂત મોર્ચા દ્વારા આહૂત દેશવ્યાપી પ્રદર્શન કરવા પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી છે. એક સંયુક્ત નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે.