હરિયાણાના CM ખટ્ટરે હાલમાં ચોંકાવનારું નિવેદન આપ્યુ છે. તેમનું કહેવું છે કે ગામડાઓમાં કોરોના ખેડૂત આંદોલનને કારણે વકર્યો છે. ગયા વર્ષ કરતાં ગામડામાં મૃત્યુદર 6થી 10 ગણો વધ્યો છે. આંદોલનકારીઓની અવરજવરને કારણે ગામડાઓમાં કોરોના વધુ ફેલાયો છે.
હરિયાણાના CM ખટ્ટરનુ ચોંકાવનારું નિવેદન
ખેડૂત આંદોલનને કારણે વકર્યો કોરોનાઃ ખટ્ટર
ગામડામાં અવરજવરને કારણે વધુ મોત થયાઃ ખટ્ટર
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રવિવારે કહ્યું કે ગામમાં કોરોના વધવાનું કારણ ખેડૂત આંદોલન છે. તેઓએ કહ્યું કે કેટલાક ગામમાં મૃત્યુદર સામાન્યથી વધારે રહ્યો છે. સીએમ ખટ્ટરે પહેલા કોરોના વાયરસની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને કહ્યું કે કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને પોતાના આંદોલનને સ્થગિત કરવાની અપીલ કરી હતી.
શું કહ્યું મુખ્યમંત્રી ખટ્ટરે
એક ડિજિટલ માધ્યમથી પ્રેસ સંમેલનમાં મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે ધરણા સ્થળોએ આંદોલન સાથે જોડાયેલા લોકોની અવરજવરથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે અને કેટલાક ગામાં સરેરાશથી વધારે મોત થયા છે. તેઓએ કહ્યું કે આંદોલન સંક્રમણ ફેલાવવાના કારણોમાનું એક છે. આ ગામમાં ગયા વર્ષની તુલનામાં મૃત્યુદર 6-10 ટકા વધ્યો છે. જો કોઈ કહે છે કે આ કોરોનાના કારણે નથી તો આ સ્તરે કોઈ બીજી મહામારી નથી.
સીએમ ખટ્ટરે મોતને લઈને કર્યો આ દાવો
તેઓએ કહ્યું કે હજારો લોકો એક જગ્યાએ ભેગા થાય છે અને એકમેકને મળે છે. કોરોના પ્રોટોકોલનું પાલન થતું નથી. તેઓએ દાવો કર્યો છે કે કેટલાક ગામમાં તો એક વર્ષમાં નથી થયા તેટલા મોત થયા છે.તેઓએ પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડાની પણ આલોચના કરી છે અને કહ્યું કે વિપક્ષના નેતા કોવિડની સર્વદલીય બેઠકની માંગ કરી રહ્યા છે. તેઓએ એક વાર પણ ખેડૂતોને આંદોલન સ્થગિત કરવાની અપીલ કરી નથી.
હુડ્ડાએ લખ્યો હતો સીએમ ખટ્ટરને પત્ર
આ વિશે તેઓએ કહ્યું કે મને લાગ્યું કે એ પત્ર જવાબ આપવા લાયક નથી. મેં તેને ઈગ્નોર કર્યો છે. તેઓ સહયોગ કરવાને બદલે રાજનીતિ કરવા ઈચ્છતા હતા. ખટ્ટરે કહયું કે કેટલાક યૂનિયન નેતા ખેડૂતોના આંદોલનને ભડકાવી રહ્યા છે.