મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની જોડી સત્તામાં ફરી આવી છે. ત્યારે હરિયાણામાં સરકાર બનાવવાને લઇને ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિવાસ સ્થાને ભાજપ અને જેજપી વચ્ચે લાંબા સમય સુધી ચર્ચા ચાલી હતી. ચર્ચા બાદ અમિત શાહે રાત્રે 9.20 કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજી એલાન કર્યું કે, ભાજપ અને જેજેપીની ગઠબંધન સરકાર બનશે. જેજેપીને ઉપમુખ્યમંત્રી પદ આપવામાં આવશે. ત્યારે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે અમે કાલે રાજ્યપાલને સરકાર બનાવવાને લઇને મળીશું.
હરિયાણામાં ભાજપ અને જેજેપીની સરકાર બનશે. ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને દુષ્યંત ચૌટાલા સાથે યોજાયેલી બેઠકમાં આ ગઠબંધન સરકાર બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. મહત્વનું છે કે શુક્રવારે ચંદીગઢમાં ભાજપ-જેજેપી સરકારના શપથગ્રહણ થઇ શકે છે.
BJP-JJP alliance for Haryana sealed. CM will be from Bharatiya Janata Party (BJP) and Deputy CM from Jannayak Janta Party (JJP). Leaders of both the parties will meet the Governor tomorrow and stake their claim to form the govt in the state. #HaryanaAssemblyPollspic.twitter.com/euvuQVtwJB
અમિત શાહે બેઠક બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં અમિત શાહે કહ્યું કે જનતાનો જનાદેશ જોતા હરિયાણામાં ભાજપ-જેજેપી મળીને સરકાર બનાવશે.
Home Minister and BJP President, Amit Shah: Accepting the mandate by the people of Haryana, leaders of both parties (BJP-JJP) have decided that BJP-JJP will form the govt together, in Haryana. CM will be from BJP & Deputy CM will be from JJP. #HaryanaAssemblyPollspic.twitter.com/qHKs0DR5zy
અમિત શાહે ગઠબંધનનું એલાન કર્યા બાદ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે હરિયાણામાં જેજેપીની સાથે સરકાર બનાવી રહ્યા છીએ. આ પહેલા અમે એકબીજાને મદદ કરી રહ્યા છીએ.
મહત્વનું છે કે અગાઉ ભાજપે જાહેરાત કરી હતી કે, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર બનશે, ત્યારે નવા નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા બની શકે છે.
અમિત શાહ અને દુષ્યંત ચૌટાલા વચ્ચે થઇ હતી બેઠક
દુષ્યંત ચૌટાલાના ઘરે ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને જેજેપીના નેતા સાથે મુલાકાત બાદ હવે દુષ્યંત ચૌટાલા અમિત શાહના ઘરે પહોંચ્યા હતા. બન્ને નેતાઓ વચ્ચે ગઠબંધનને લઇને અંતિમ તબક્કાની વાતચીત થઇ હતી. મહત્વનું છે કે અમિત શાહના ઘરે હરિયાણાના ભાજપના પ્રમુખ સુભાષ બરાલા પણ હાજર રહ્યા હતા.
#WATCH Delhi: Minister of State (MoS) for Finance and BJP leader Anurag Thakur & Jannayak Janata Party (JJP) Dushyant Chautala arrive at the residence of Union Home Minister and BJP President Amit Shah. #HaryanaAssemblyPollspic.twitter.com/VqiRRxgYO8
અમારા ચૂંટણી ઢંઢેરા પર પણ નજર નાખો દુષ્યંતઃ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ જેજેપીના નેતા દુષ્યંત સિંહને કૉમન મિનિમમ પ્રોગ્રામની વાતનો જવાબ આપતા કહ્યું કે દુષ્યંત ચૌટાલા જે કૉમન મિનિમમ પ્રોગ્રામની વાત કરી રહ્યા છે. તેમણે જે મુદ્દાને ઉઠાવ્યા છે તે પહેલા જ અમારા ચૂંટણી ઢંઢેરામાં સામેલ છે. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ અમારા ચૂંટણી ઢંઢેરા સાથે આવે, જો તેઓ કંઇ સલાહ પણ આપવા માંગે છે તો અમે તે સાંભળવા માટે તૈયારી છીએ.
સમર્થન કરીશું તો સરકારમાં રહીશુંઃ દુષ્યંત
દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, આજે પણ સત્તાની ચાવી છે મારી પાસે, જો રાજ્યમાં સ્થિર સરકારની જરૂર છે તો. સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે બહારથી સમર્થન કરવાનો કોઇ મતલબ નથી, જો સમર્થન કરીશું તો સરકારમાં સામેલ થશું.
JJP અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, અમારી પાર્ટીની અંદર લોકોએ કોંગ્રેસ અથવા ભાજપની સાથે જવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે જે પાર્ટી અમારા કૉમન મિનિમમ પ્રોગ્રોમની વાત માનશે, અમાપી પાર્ટી તેની સાથે જશે અને સમર્થન આપશે. દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે તેમણે પિતા સાથે વાત કરી છે, પિતા અજય ચૌટાલાએ રાષ્ટ્રીય કાર્યકારિણીનો કોઇ પણ નિર્ણય લેવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
ચૌટાલાએ કહ્યું કે, મારે કોઈ નેતા સાથે મુલાકાત નથી થઈ. ધારાસભ્ય દળના નેતા તરીકે મારી પસંદગી થઈ છે. ઘણા સાથીઓએ ભાજપમા જવાની વાત કરી છે.
Dushyant Chautala,JJP on forming govt with BJP or Congress: Till now we haven't spoken to anybody on this issue as national executive was not clear on the agenda. Now we've been authorised,we'll talk to concerned people.Hopefully in few hrs or few days we'll have positive result. pic.twitter.com/afDIEeX2Qv
ચૌટાલાએ વધુમાં કહ્યું કે, બેરોજગારીના મુદા પર કામ કરશું. કોંગ્રેસ-ભાજપમા જવાનુ હજુ નક્કી નથી કર્યુ. જે સન્માન આપશે તેની સાથે રહીનુ કામ કરીશું.
મહત્વનું છે કે આ અગાઉ શુક્રવારે દુષ્યંત ચૌટાલાએ પોતાના પિતા અજય ચૌટાલા સાથે તિહાર જેલમાં મુલાકાત કરી હતી. પિતા-પુત્રની મુલાકાત અંદાજિત 25 મિનિટ સુધી ચાલી હતી. જેજેપી હરિયાણામાં ત્રીજા નંબરની પાર્ટી બનીને ઉભરી છે અને તેમના ખાતામાં કુલ 10 બેઠકો છે.