હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીમાં આંતરિક કલેશ ખુલીને સામે આવવા લાગ્યો છે. ઘણા સાંસદ, ધારાસભ્યોમાં ટિકિટને લઇને નારાજગી છે. બીજેપીના ગુરુગ્રામના ધારાસભ્ય અને હરિયાણા બીજેપીના મીડિયા પ્રભારી ઉમેશ અગ્રવાલે તો પોતાની નારાજગી ટ્વિટર પર જાહેર કરી છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીમાં આંતરિક કલેશ બહાર આવ્યો
ઉમેશ અગ્રવાલ ગુરુગ્રામથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીતની પુત્રી આરતી રાવને ટિકિટ ન મળવાથી નારાજ છે. ઉમેશ અગ્રવાલે ટ્વિટમાં લખ્યું છે કે રાવ ઇન્દ્રજીતનો અનાદર બીજેપીને દક્ષિણ હરિયાણામાં ભારે પડી શકે છે. ક્યાસ લગાવાઇ રહ્યા છે કે, રાવ ઇન્દ્રજીત સિહ રેવાડી વિધાનસભા બેઠકથી પુત્રી આરતી રાવની ટિકિટની દાવેદારી નોંધાવી રહ્યા હતા.
सबका साथ - सबका विकास - सबका विश्वास!
इसी नारे के साथ होना चाहिए टिकटों का वितरण।
योग्यता एवं जनभावनाओं की ना हो अनदेखी।
રાવ ઇન્દ્રજીત સિંહ દક્ષિણ હરિયાણાના નેતા છે અને રામપુરા હાઉસના દક્ષિણ હરિયાણાની 11 બેઠકો પર સારુ એવુ પ્રભુત્વ ધરાવે છે. આ જ કારણ છે કે 2014ની વિધાનસભા ચૂંટણીમાં પટોદી, બાવલ, કોસલી, નારનોલ અને નાંગલ ચૌધરી વિધાનસભા બેઠક પર બીજેપીના રાવ ઇન્દ્રજીતની ઇચ્છા અનુસાર ટિકિટની વહેંચણી કરાઇ હતી. જોકે, ગુરુગ્રામ, અટેલી અને રેવાડી બેઠક પર પણ રાવ ઇચ્છતા હતા કે તેમના મુજબ જ ટિકિટનું વિતરણ થાય. પરંતુ બીજેપીના ટોચના નેતૃત્વે તેનો અસ્વીકાર કર્યો હતો.