વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ચૂંટણી રેલીમાં એક વ્યક્તિએ 'બેટી બચાવો, બેટી પઢાઓ' પર સવાલ ઉઠાવતા નારા લગાવ્યા અને તેમના મંચ પર કેટલાક કાગળ ફેંક્યા. જોકે, વડાપ્રધાન મોદીએ પોતાનું સંબોધન ચાલુ રાખ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીમાં એક વ્યક્તિએ કાગળ ફેંકી વિરોધ વ્યક્ત કર્યો
વ્યક્તિએ વિરોધ કરતા કહ્યું, 'ક્યાં છે બેટી બચાવો, બેટી પઢાઓ?'
ચાલુ રેલીમાં પોલીસે આ વ્યક્તિની અટકાયત કરી હતી
આ વ્યક્તિએ વિરોધ કરતા કહ્યું, 'ક્યાં છે બેટી બચાવો, બેટી પઢાઓ?' ત્યારબાદ રેલીમાં લગભગ પાંચ મિનિટ સુધી હોબાળો મચી જવા પામ્યો હતો. પાંચ મિનિટ બાદ પોલીસે આ વ્યક્તિની અટકાયત કરી હતી.
રેલીમાં સાદી વર્દીમાં હાજર પોલીસ કર્મીઓએ વ્યક્તિને મીડિયા બ્લોક પાસે રોક્યો અને તેને ત્યાંથી લઇ ગયા. રેલીમાં વર્તમાન ઘણા શ્રોતા પોતાના સ્થાન પર ઉભા રહીને જોવા લાગ્યા કે આખરે ચાલી શું રહ્યું છે?
નોંધનીય છે કે, આ વ્યક્તિની ઓળખ જગાધરીમાં રહેતા અશોક કુમારના રૂપે કરાઇ છે. એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન સ્થળ તરફ કાગળ ફેંક્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધિત કરતા લખવામાં આવેલ પત્રમાં વ્યક્તિએ કહ્યું કે યમુનાનગરમાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરનારી એક વિદ્યાર્થીની સાથે 26 ઓગસ્ટે તેના શિક્ષકે કથિત રીતે યૌન ઉત્પીડન કર્યું.
વ્યક્તિએ પત્રમાં આરોપ લગાવ્યો છે કે જ્યારે આ મામલાની ફરિયાદ પોલીસને કરી તો તેમણે કોઇ કાર્યવાહી કરવાની જગ્યાએ વિદ્યાર્થીના માતા-પિતા પર જ ફરિયાદ દાખલ કરી હતી. કુમારે આરોપ લગાવ્યો કે ધરણા કરવા છતા પોલીસે પ્રાથમિક ફરિયાદ પાછી ન લીધી. આ મામલામાં પોલીસ અધીક્ષક આસ્થા મોદીને જ્યારે પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું કે આ મામલામાં તપાસ ચાલી રહી છે.