ખેડૂત આંદોલનની વચ્ચે હરિયાણામાં શુક્રવારે શરુ થઈ રહેલા વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસે ખટ્ટર સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી લીધી છે. 12 દિવસો સુધી ચાલનારા આ સત્રમાં હોબાળો થવાના પૂરા અણસાર છે. બજેટ સત્ર પહેલા દિવસે જ ખેડૂતોના મુદ્દા પર સત્તા પક્ષ અને વિપક્ષમાં દલીલબાજી થવાની નક્કી છે. રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યના અભિભાષણ બાદ વિપક્ષના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા ભાજપ- જેજેપી ગઠબંધનની સરકારની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનું એલાન કરી નાંખ્યું છે.
આ મુદ્દા પર કોંગ્રેસ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની વાત કરી રહી છે
વિધાનસભા સત્ર દરમિયાન પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડાના નેતૃત્વમાં કોંગ્રેસ વિધાયક 3 કૃષિ કાયદાના વિરોધમાં ચર્ચાની માંગ કરશે. આ મુદ્દા પર કોંગ્રેસ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની વાત કરી રહી છે. પરંતુ આને સ્વીકાર અથવા અસ્વીકાર કરવું સ્પીકરના વિવેક પર નિર્ભર કરે છે. જો કે સ્પીકર જ્ઞાનચંદ ગુપ્તા વિઝાનસભા નિયમાવલીનો સંદર્ભ આપી સ્પષ્ટ કરી ચૂક્યા છે કે જે ખરડો લોકસભામાં પાસ થઈને કાયદો બની ચૂક્યો છે તેના પર રાજ્ય વિધાનસભામાં ચર્ચા નહીં થઈ શકે.
ખટ્ટર સરકારે વિપક્ષના હાથથી અનેક મોટા મુદ્દા છીનવી લીધા
ત્યારે કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવને સ્પીકર જો સ્વીકાર કરે છે તો તે દસ દિવસની અંદર અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવી જરુરી રહેશે. તેવામાં કોંગ્રેસ તરફથી ખટ્ટર સરકારની વિરુદ્ધ લવાઈ રહેલા અવિશ્વાસના પ્રસ્તાવને ભાજપ- જજપા ગઠબંધનના નેતા પાડવાની તૈયારીનો દાવો કરી રહ્યા છે. બજેટ સત્રની શરુઆતથી પહેલા જ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સરકારે વિપક્ષના હાથથી અનેક મોટા મુદ્દા છીનવી લીધા છે.
હરિયાણા વિધાનસભામાં કુલ 90 સીટ છે. જેમાં 2 સીટ ખાલી
ઉલ્લેખનીય છે કે હરિયાણા વિધાનસભામાં કુલ 90 સીટ છે. જેમાં 2 સીટ ખાલી છે. હાલની વિધાનસભામાં સભ્યોની સંખ્યા જોતા 88 છે. જેમાં 40 ભાજપ, 30 કોંગ્રેસ, 7 નિર્દલીય, 10 જેજેપી ધારાસભ્યો અને એક હરિયાણા લોકહિત પાર્ટીના ધારાસભ્ય છે.