હરિયાણા સરકારે ગુરુગ્રામ,ફરિદાબાદ, પંચકૂલા, સોનિપત, રોહતક, કરનાલ, હિસાર,સિરસા અને ફતેહાબાદમાં વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી છે.
કોરોનાની ચેન તોડવા હરિયાણા સરકારનો નિર્ણય
ગુરુગ્રામ,ફરિદાબાદ સહિત 9 જિલ્લામાં વિકેન્ડ લોકડાઉન
જરુરી સેવાઓ ચાલુ રહેશે
બાકીની તમામ સેવાઓ બંધ રહેશે
30 એપ્રિલના રાતના 10 થી 3 મેના સવારના પાંચ સુધી લોકડાઉન
30 એપ્રિલના રાતના 10 થી 3 મેના સવારના પાંચ સુધી લોકડાઉન અમલી રહેશે. વીકેન્ડ લોકડાઉન દરમિયાન જરુરી સેવાઓને બાદ કરતા બીજી સેવાઓ પર પાબંધી મૂકવામાં આવી છે. હરિયાણામાં તો પહેલેથી ધારા 144 લાગુ છે.
Haryana | Weekend lockdown to be imposed in Panchkula, Gurugram, Faridabad, Sonipat, Rohtak, Karnal, Hisar, Sirsa and Fatehabad districts from 10pm today till 5am on 3rd May pic.twitter.com/0X3M3VglYu
ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત છે. દર રોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રોજ નોંધાતા આંકડા 4 લાખને પહોંચવા આવ્યા છે. દેશમાં ગુરુવારે એક દિવસમાં કોરોનાના સંક્રમણના 386,888 મામલા નોંધાયા છે. જે બાદ સંક્રમણના કુલ કેસ 1,87,54,984 થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ એક્ટિવ કેસની સંખ્યા 30 લાખને પાર પહોંચી ગઈ છે.મંત્રાલયની વેબસાઈટના જણાવ્યાનુસાર ગુરુવારે એક દિવસમાં 3501 લોકોના મોત થયા બાદ આ ઘાતક બિમારીના મૃતકોની સંખ્યા 2, 08, 313 થઈ ગઈ છે. જો કે બુધવારના આંકડાની સરખામણી થોડી રાહત જણાઈ રહી છે. બુધવારે 24 કલાક દરમિયાન 3647 મોત નાંધાયા હતા. જે આજે આંકડા ઘટીને 3501 પર આવી ગયા છે.
મોતનો દર ઘટ્યો
સતત મામલા વધવાથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 31,64,825 થઈ ગઈ છે. જે સંક્રમણના કુલ મામલાના 16.79 ટકા છે, જ્યારે કોરોનાથી સાજા થનારાનો દર ઘટીને 82.10 ટકા થઈ ગયો છે. આંકડામાં જણાવ્યાનુસાર બિમારીમાંથી સાજા થનારાની સંખ્યા 1,53,73,765 થઈ ગઈ છે. સંક્રમણથી મોતનો દર ઘટીને 1.11 ટકા થઈ ગઈ છે.દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા ગત વર્ષ ઓગસ્ટે 20 લાખને પાર થઈ ગઈ હતી. તે કોરોનાના દર્દીની સંખ્યા 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ, 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર થઈ ગઈ છે. આ બાદ 28 સપ્ટેમ્બરે કોરોનાના મામલા 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ, 19 ડિસેમ્બરે 1 કરોડ અને 19 એપ્રિલના આ મામલા 1.5 કરોડથી વધારે થઈ ગયા હતા.
સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા
સૌથી વધારે મોત 771 મહારાષ્ટ્રમાં થયા છે. આ બાદ દિલ્હીમાં 395, ઉત્તર પ્રદેશમાં 295, છત્તીસગઢમાં 251, ગુજરાતમાં 180, કર્ણાટકમાં 270, ઝારખંડમાં 145, પંજાબમાં 137, રાજસ્થાનમાં 158, ઉત્તરાખંડમાં 85 અને મધ્ય પ્રદેશમાં 95 લોકોના મોત થયા છે. દેશેમાં ક્યાર સુધીમાં કુલ 208313 મોત થયા છે. જેમાં સૌથી વધારે મોત 67985 મહારાષ્ટ્રમાં થયા છે. આ બાદ દિલ્હીમાં 15,306, કર્ણાટકમાં 13, 933, તમિલનાડુમાં 12, 238, ઉત્તર પ્રદેશમાં 11248, પશ્ચિમ બંગાળમાં 8909, પંજાબ અને છત્તીસગઢમાં 8312 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે 70 ટકાથી વધારે મોત અન્ય ગંભીર બિમારીના કારણે થઈ છે.