કેન્દ્ર સરકાર સામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની વચ્ચે ખેડૂતોની મોત મામલે હરિયાણાના કૃષિમંત્રીના નિવેદનને લઈને વિવાદ ઊભો થયો છે.
ખેડૂતોના મોત પર વિવાદિત નિવેદન
હરિયાણાના મંત્રીએ ખેડૂતોના મોતની ઠેકડી ઉડાડી
વિવાદ વધતાં માંગી માફી
શું છે મામલો?
કૃષિ કાયદાના વિરોધમાં ઘણા દિવસથી મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને આ આંદોલનમાં ઘણા બધા ખેડૂતોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. વિરોધ કરી રહેલા ખેડૂતોની મોત પર હરિયાણાના કૃષિ મંત્રી જેપી દલાલે શનિવારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ખેડૂતોની મોત પર ઠેકડી ઉડાવતા આ મંત્રીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બાદમાં આ મંત્રીએ માફી પણ માંગી છે.
ખેડૂતોની મોત અસંવેદનશીલ વર્તન
નોંધનીય છે કે ભિવાનીમાં જ્યારે એક પત્રકારે મંત્રીને ખેડૂતોના મોત વિષે સવાલ કર્યો ત્યારે તેમણે હસતાં હસતાં કહ્યું કે તે ઘરમાં રહ્યા હોત તોય મરી જાત. મારી વાત સાંભળો, શું એક બે લાખ લોકોમાં છ મહિનામાં સો-બસો લોકો ન મરી શકે? કોઈ હાર્ટ અટેકથી મરી રહ્યું છે અને કોઈ બીમાર પડ્યું છે.
#WATCH Would not they've died if they were at home? Out of 1-2 lakh people, don't 200 people die in 6 months? They've died with their own will. I express my sympathies towards them: Haryana Agri Min JP Dalal on the death of farmers during ongoing protest against farm laws (13.02) pic.twitter.com/qDswOWROac
પત્રકારોએ જ્યારે મૃતક ખેડૂતને શ્રદ્ધાંજલિ અથવા તેમના માટે દુ:ખ પ્રગટ કરવાને લઈને સવાલ કર્યો તો તેમણે કહી કે આ લોકો તો સ્વેચ્છાએ મરે છે. નોંધનીય છે કે જ્યારે મંત્રી આ નિવેદન આપી રહ્યા હતા ત્યારે પોતે પણ હસી રહ્યા હતા અને આસપાસના લોકો પણ જોર જોરથી અટ્ટહાસ્ય કરી રહ્યા હતા.
સોશ્યલ મીડિયામાં થઈ ફજેતી તો માંગી માફી
આ નિવેદન બાદ જ્યારે સોશ્યલ મીડિયામાં લોકોએ મંત્રીની ટીકા કરી તો પહેલા કહ્યું કે વીડિયોને તોડી-મરોડીને બતાવવામાં આવી રહ્યો છે. જોકે બાદ તેમણે માફી પણ માંગી. તેમણે કહ્યું કે જો કોઈની ભાવનાને ઠેસ પહોંચી હોય તો માફી માંગુ છું અને હું ખેડૂતોના કલ્યાણ માટે કામ કરતો રહીશ. નોંધનીય છે કે કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ નિવેદનની ટીકા કરી છે અને કહ્યું કે આવું નિવેદન કોઈ અસંવેદનશીલ વ્યક્તિ જ આપી શકે છે.
If anyone is hurt by my statements, then, I apologise. My statement has been misinterpreted. I am committed to the welfare of farmers, clarified Haryana Agriculture Minister JP Dalal yesterday pic.twitter.com/2NpUlPKRe9