અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું છે કે ભારતની આર્થિક સ્થિતિ સતત સારી થઇ રહી છે. જેને લઇને 21મી સદીમાં દેશ પાસે ગ્લોબલ સુપરપાવર બનવાની તક છે. હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું કે ભારત અને અમેરિકાની વચ્ચે દ્વિપક્ષીય સંબંધ રણનીતિક અને આર્થિક બંને ક્ષેત્રોમાં તેજીથી વિકસિત થઇ રહી છે.
21મી સદીમાં દેશ પાસે ગ્લોબલ સુપરપાવર બનવાની તક
અમેરિકાના ભારતીય રાજદૂતે આપ્યું નિવેદન
હાર્વર્ડ કેનેડી સ્કૂલના આયોજિત એક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને સંબોધન કરતા ભારતીય રાજદૂત શ્રૃંગલાએ કહ્યું કે જ્યાં કેટલાક દેશ વ્યાપક વિકાસમાં અસફળ થાય છે ત્યાં ભારતે આ મામલે ઘણુ સારુ પ્રદર્શન કર્યું છે. વિકાસમાં સૌથી મોટી સમસ્યા મોટી અર્થવ્યવસ્થાની કમાણીની સમાનતા દ્વારા બનાવવામાં આવે છે.
અમેરિકામાં ભારતીય રાજદૂતે કહ્યું કે 1990 પછી ભારતે કરોડો લોકોને ગરીબીની રેખામાંથી નિકાળવામાં સફળતા પ્રાપ્ત કરી છે. 2030માં બીજો પરિવાર મધ્યમ વર્ગમાં સમાવેશ થાય તેવી શક્યતા છે. ભારત જલ્દી જ જનસંખ્યાના આધાર પર દુનિયા માટે સૌથી મોટુ માર્કેટ બની જશે. જેમ જેમ લોકોની પ્રતિ વ્યક્તિ આવક વધશે, ભારત સૌથી મોટુ માર્કેટ બની જશે.
ભારત પુરી જવાબદારી સાથે વિકાસ કરી રહ્યો છે. અમે વિકાસની સાથે પર્યાવરણની પણ જાળવણી કરી રહ્યાં છીએ, જેથી પોતાના નાગરિક અને દુનિયા માટે વિકાસની સતત પ્રક્રિયા ચાલુ રાખી શકાય. ભારત પહેલાથી જ દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.