હાર્દિક પટેલે સુરતમાં રાજ્યના વિવિધ પ્રશ્નો મુદ્દે પ્રતિક્રિયા આપી રાજ્યસરકાર સામે ફરી એક વખત પ્રહારો કર્યા છે.
પાટીદાર આંદોલન સમયે થયેલા કેટલાક કેસ સરકારે પાછા ન ખેંચ્યા હોવાનો પણ આરોપ હાર્દિકે લગાવ્યો છે.
આ ઉપરાંત ધાર્મિક માલવિયા અને નિકુંજને ઉપવાસ છોડવા માટે પણ અપીલ કરી છે. હાર્દિકે એસ.ટી વર્ગના કર્મચારીઓની હડતાળ અને યુવા વર્ગને મધ્યમા રાખી તમામ વર્ગ વર્તમાન સમયમાં પરેશાન હોવાનું જણાવી વિપક્ષને તેનો ટેકો હોવાનું કહ્યું છે.