ટી20 વર્લ્ડ કપમાં ભારતના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહ ટીમમાં વાપસી કરી શકે છે. જાણો વિગતવાર
હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહ હવે એકદમ ફીટ
કરી શકે છે ટી20 વર્લ્ડ કપ માટે ટીમમાં વાપસી
ટીમ ઈન્ડીયાને આ બે પ્લેયર્સની એશિયા કપમાં ખોટ વર્તાઈ હતી
ટી20 વર્લ્ડ કપ 2022 આવતા મહિનાથી ઓસ્ટ્રેલીયામાં રમવામાં આવશે. આ ખાસ ટુર્નામેન્ટ પહેલા ટીમ ઇન્ડીયા માટે ખુશખબર છે. ટીમ ઇન્ડિયાનાં બે ઘાતક ખેલાડીઓ આ ટુર્નામેન્ટ પહેલા ફીટ થઇ ગયા છે અને ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે. આ બંને ખેલાડી એશિયા કપ 2022માં ટીમ ઇન્ડીયાનો ભાગ ન હતા અને આ ખેલાડીઓની ખોટ ટીમને વર્તાઈ હતી.
ટીમમાં વાપસી માટે તૈયાર આ બે ખેલાડી
ટીમ ઇન્ડીયાનાં ફાસ્ટ બોલર હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહ ફીટ થઇ ગયા છે. એશિયા કપ 2022 પહેલા આ બંને ખેલાડી ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. રીપોર્ટસ અનુસાર, હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહ હવે એકદમ ફીટ છે. આ બંને ખેલાડી હાલમાં બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે અને બોલિંગ કરતા પણ જોવા મળે છે.
ટી20 વર્લ્ડ કપમાં મળશે જગ્યા
ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું એલાન જલ્દી જ થશે, આવામાં આ બંને ખેલાડીઓનું ફીટ હોવું ટીમ માટે સારા સમાચાર છે. ટી20 વર્લ્ડ કપ માટે ટીમનું એલાન કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહને બેક ઇન્જરી હતી અને હર્ષલ પટેલ સાઈડ સ્ટ્રેનને કારણે બહાર થઇ ગયા હતા.
ટીમ ઇન્ડિયાને આ બે ખેલાડીની ખોટ વર્તાઈ
હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહ ગયા થોડા સમયમાં ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટા મેચ વિનર સાબિત થયા છે. અને સતત ટીમનો હિસ્સો પણ રહ્યા છે, પણ એશિયા કપ ૨૦૨૨માં આ બંને ખેલાડીઓનાં ન હોવાને કારણે ટીમને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. ગત વર્ષે નવેમ્બરમાં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કરનાર હર્ષલ પટેલે ટીમ ઇન્ડીયા માટે અત્યાર સુધી 17 ટી20 મેચ રમી છે, જ્યારે 10 જુલાઈ બાદથી તેઓ કોઈ મેચ રમ્યા નથી.