રાજ્ય સરકાર દ્વારા 3 સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમા હર્ષદ પટેલને GACLના એમડી બનાવામનાં આવ્યા છે. તે સિવાય ભાવનગર કમિશનર એમ એ ગાંધીને એસટી નિગમના એમડી અને ભાવનગર કલેક્ટર યોગેશ નિરગુડેને મનપા કમિશનર તરીકે ચાર્જ સોંપાયો છે.
ગુજરાતના 3 વરિષ્ઠ આઈએએસની બદલી
હર્ષદ પટેલને GACLના MD બનાવામાં આવ્યા
ભાવનગર કલેક્ટર યોગેશ નિરગુડેને કમિશનર તરીકે ચાર્જ સોંપાયો
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 3 વરિષ્ઠ IAS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. જેમા હર્ષદ પટેલને GACLના MD બનાવામાં આવ્યા છે. જ્યારે ભાવનગર કમિશનર એમ.એ ગાંધીને ST નિગમના MD બનાવામાં આવ્યા છે. આ સિવાય હવે ભાવનગરના કલેક્ટર યોગેશ નિરગુડેને પણ કમિશનર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે.
IAS હર્ષદ પટેલની એક વર્ષમાં 3 વખત બદલી
આપને જણાવી દઈએ કે IAS હર્ષદ પટેલની સરકાર દ્વારા એક વર્ષમાં 3 વખત બદલી કરવામાં આવી છે. જૂન 2021માં તેમે રાહત કમિશનરના પદ પરથી શ્રમ અને રોજગાર વિભાહના સચિવ તરીકે નિમણૂંક કરાયા હતા. જોકે ત્યાથી પણ માત્ર 10 દિવસમાં તેમને એસટી નિગમના એમડી બનાવામાં આવ્યા હતા.
ભાવનગર કમિશનર એમ.એ.ગાંધીની પણ બદલી
હવે એસટી નિગમમાં હર્ષદ પટેલની જગ્યાએ ભાવનગર કમિશનર એમ.એ.ગાંધીની એમડી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ભાવનગરના કમિશનરનો ચાર્જ હવે ભાવનગરના કલેક્ટર યોગેશ નિરગુડેને સોંપવામાં આવ્યો છે.
134 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની પણ બદલી
ઉલ્લેખનીય છે કે 3 આઈએએસ અધિકારીઓ સિવાય 134 ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. પ્રાંત અધિકારી તરીકે કામ કરતા અનેક મહેસૂલી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમા ગુજરાત વહીવટી સેવાના 33 અધિકારીઓને પણ તાલીમ બાદ ડેપ્યુટી કલેક્ટર અને તેને સમકક્ષ હોદ્દાઓ પર પોસ્ટિંગ આપવામાં આવી છે.