સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે કોરોનાનો ગ્રાફ જલ્દી માત્ર ફ્લેટ નહીં થાય પરંતુ રિવર્સ પણ થઇ જશે. એમને કહ્યું કે ઝડપી કૉન્ટેક્ચ ટ્રેસિંગ અને વધારે ટેસ્ટના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. રિકવરી રેટ પણ વધી રહ્યો છે. એમને કહ્યું કે ભારત ઘણા વિકસિત દેશોની સરખામણી સારું પ્રદર્શન કરી રહ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને આશા વ્યક્ત કરી છે કે થોડા સપ્તાહોમાં કોરોના ગ્રાફ રિવર્સ થઇ જશે
એમને કહ્યું કે તપાસ વધવાથી અને ટ્રેસિંગના કારણે હાલ વધારે કેસ આવી રહ્યા છે
સ્વાસ્થ્ય મંત્રીએ એવું પણ કહ્યું કે હવે દેશમાં જ ટેસ્ટિંગ કિટ્સનું નિર્માણ થશે.
એમને જણાવ્યું કે ઘણા લોકો વેક્સીન બનાવવાના પ્રયત્નોમાં લાગેલા છે, જલ્દી સફળતા મળી શકે છે.
મે મહિનામાં થનારા કોરોના કેસમાં વધારો દેશ માટે ચિંતાનું કારણ બનેલું છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનું નિવેદન રાહત આપનારું છે. એમને એક ખાનગી ચેનલની સાથે વાતચીતમાં કહ્યું થોડાક જ સપ્તાહોમાં કોરોનાનો ગ્રાફ રિવર્સ પણ થશે. એમને કહ્યું કે ટેસ્ટ વધારે થતા હોવાથી વધારે કેસ આવી રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, 'આજે દેશમાં લગભગ 56 હજાર લોકો સંક્રમિત થયા છે. 1800 લોકોના મોત થયા છે. 17 હજાર લોકો ઠીક થઇને ઘરે પરત ફર્યા છે. 30 ટકા આપણો રિકવરી રેટ છે. ભારત બીજા દેશોની સરખામણીએ ખૂબ સારુ કરી રહ્યો છે.'
ડૉ.ગુલેરિયાના નિવેદન પર શું બોલ્યા હર્ષવર્ધન?
AIIMSના ડાયરેક્ટર ડૉ ગુલેરિયાએ કહ્યું હતું કે જૂન-જુલાઇમાં કોરોનાના કેસ પીક પર પહોંચી શકે છે. એની પર સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, 'મારી કોઇ વાત નથી થઇ. મને નથી ખબર કે શું વિચારીને એમને આ નિવેદન આપ્યું પરંતુ વ્યક્તિગત તરીકે હું કહી શકુ છું કે હું આશાવાદી છું. આવનાર સપ્તાહોમાં ધીરે ધીરે પૂરી રીતે ફ્લેટ હશે અને રિવર્સ પણ હશે.'
હવે ચીની ટેસ્ટ કિટ નહીં, દેસી કિટ્સનો થશે ઉપયોગ
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આજે એક લેબથી 452 લેબ બની ગઇ. આજે 80 હજારથી ટેસ્ટ દરરોજ કરી રહ્યા છે. અમે 31 મે સુધી 1 લાખ ટેસ્ટ કરવાની વાત કહી હતી. અમે ટેસ્ટિંગ મામલે દુનિયાના કોઇ દેશથી પાછળ નથી. આજે સમગ્ર દેશમાં દરેક જિલ્લામાં ટેસ્ટ થઇ રહ્યા છે. ખુશખબરી એ છે કે આપણા વૈજ્ઞાનિક મે માં જ એન્ટીબૉડી ટેસ્ટ કિટ અને આરટી-પીસીઆર ટેસ્ટ કિટ ભારતમાં બનાવવાનો પ્રારંભ કરી દેશે. આવનારા સમયમાં આ કિટ્સનો જ ઉપયોગ થશે.
લૉકડાઉનમાં ધીરે ધીરે ઢીલ જરૂરી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લૉકડાઉનમાં ધીરે ધીરે ઢીલ આપવી જરૂરી છે. ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યાં પીએમ મોદીએ અસાધારણ સાહનો પરિચય આપતાં આટલા લાંબા લૉકડાઉનને લાગૂ કર્યો અને લોકોએ એનું પાલન કર્યું. હવે લૉકડાઉનમાં ઢીલ આપે અથવા ના આપે એનો પ્રભાવ ત્યાં સુઘી નહીં થાય જ્યાં સુધી આપણે એ ભૂલી ના જઇએ કે બાદમાં પણ સોશિયલ ડિસ્ટેન્સિંહ અને માસ્ક પહેરવું જરૂરી છે. એમને કહ્યું કે 17 મે બાદ લૉકડાઉન પર નિર્ણય પીએમ મોદી જ લેશે અને આ નિર્ણય મુખ્યમંત્રીઓના ફીડબેકના આધાર પર લેવામાં આવશે.
'જ્યાં સુધી વેક્સીન નહીં, સોશિયલ વેક્સીન જ કારગર'
હર્ષવર્ધને કહ્યુ, જ્યાં સુધી આપણી પાસે કોરોનાની વિરુદ્ધ વેક્સીન નથી ત્યાં સુધી સોશિયલ ડિસ્ટેન્સિંહ સૌથી પ્રભાવી છે. ધીરે ધીરે લૉકડાઉનને ખોલવાનું છે. આ પરિસ્થિતિમાં પણ આ સોશિયલ વેક્સીનનો ઉપયોગ કરવો આપણા સ્વાસ્થ્ય અને દેશ માટે જરૂરી છે. હું કર્મ પર વિશ્વાસ રાખું છું. કોરોના વિરુદ્ધ યુદ્ધ આપણે સૌથી પહેલા શરૂ કર્યું અને સમગ્ર દેશે આપણો સાથ આપ્યો. પીએમ મોદીના નિર્દેશોનું પાલન કર્યું. આજે દેશની તમામ સરકારો ભારત સરકારના તમામ નિર્દેશોનું પાલન કરી રહ્યા છે. આપણને સફળતા મળી રહી છે અને સમગ્ર દુનિયામાં વખાણ થઇ રહ્યા છે. WHO પણ વારંવાર ભારતના વખાણ કરી રહ્યું છે. થોડાક જ સપ્તાહમાં કોરોના વિરુદ્ધ જંગમાં દેશને ભારે સફળતા મળશે.'