દેશના 180 જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી તેવું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધનની જાહેરાત
180 જિલ્લામાં 7 દિવસમાં કોરોનાનો એક પણ કેસ નહીં
18 જિલ્લામાં 14 દિવસમાં એક પણ કેસ નહીં
21 દિવસમાં 54 જિલ્લામાં એક પણ કેસ નહીં
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને જણાવ્યું કે છેલ્લા 7 દિવસમાં દેશના 180 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તો 18 જિલ્લામાં 14 દિવસમાં એક પણ કેસ જોવા મળ્યો નથી. તેમણે કહ્યું કે છેલ્લા 21 દિવસમાં 54 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. 180 જિલ્લાઓમાં મહારાષ્ટ્રના 14, કેરળના 10, યુપીના 8 સહિતના બીજા જિલ્લાનો સમાવેશ થાય છે.
રાજ્યોને 17.49 કરોડ વેક્સિનના ડોઝ પૂરા પડાયા
વેક્સિન અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારત સરકારે અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 17.49 કરોડ કરતા પણ વધારે વેક્સિનના ડોઝ પૂરા પાડ્યાં છે. હજુ પણ 84 લાખ કરતા પણ વધારે વેક્સિનના ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનોની પાસે ઉપલબ્ધ છે. મંત્રાલયે જણાવ્યું કે આગામી 3 દિવસમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પાસે 53 લાખ કરતા પણ વધારે ડોઝ પહોંચી જશે.
24 કલાકમાં દેશમાં 4.12 લાખ નવા કેસ
કોરોનાની મોતના આંકડા પહેલીવાર 4 હજારને પાર થઈ ગયા છે. શુક્રવારે પોઝિટિવ કેસની સંખ્યા 4 લાખ 1 હજાર 228 રહ્યી ત્યાં 4, 191 રેકોર્ડ બ્રેક દર્દીઓના જીવ ગયા છે. 25 દિવસમાં રોજના મરનારાની સંખ્યા 1 હજારથી 4 હજારને પાર થઈ છે. આ પહેલા 13 એપ્રિલે મોતની સંખ્યા 1 હજારને પાર થઈ હતી. જે 20 એપ્રિલે 2 હજાર અને 27 એપ્રિલે 3 હજારને પાર થઈ હતી. કંઈક મળીને જોઈએ તો મોતની સંખ્યામાં 14 દિવસમાં 3 હજારે પહોંચી જ્યારે 4 હજાર પહોંચવામાં 10 દિવસનો સમય લાગ્યો છે.