ડો.હર્ષવર્ધનએ જણાવ્યું હતું કે લગ્ન, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ અને ખેડૂત આંદોલનને કારણે કોરોનાના કેસો વધી રહ્યા છે.
કોરોના સંક્રમણના ફેલાવાને લઇએં વધી રહી છે ચિંતા
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવધને કરી મહત્વની બેઠક
11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓની સાથે કરી બેઠક
કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક કરી કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં થયેલા વધારાની સમીક્ષા કરી રહ્યા છે. આ 11 રાજ્યોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પંજાબ અને રાજસ્થાન છે, જેમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશમાં કોરોનાનો રિકવરી રેટ 92.38 ટકા જેટલો છે અને વધતા જતા કેસો પછી પણ મૃત્યુ દર 1.30 ટકા છે. પરંતુ ક્યાંક કેટલીક મોટી ક્ષતિઓ છે, જેના કારણે આ સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યું છે.
પંજાબમાં જીનોમ સિક્વન્સિંગ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પંજાબમાં 80 ટકા કોરોના કેસ યુકે સ્ટ્રેઇનના કારણે નોંધાયા છે. તેમણે કહ્યું, પંજાબમાં મોટા પાયે જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે, પંજાબમાં મોટા બિગ ફેટ વેડિંગ અને ખેડૂત આંદોલનને કારણે કોરોનાના કેસોમાં વધારો થયો છે. કુંભમેળો એ સુપર સ્પ્રેડર જેવી ઘટના છે, જેના કારણે કોરોનાના કેસો વધી રહ્યા છે.
તેમણે કહ્યું કે દેશના 3 રાજ્યો - મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પંજાબના 50 જિલ્લામાં કેન્દ્રીય ટીમો મોકલવામાં આવી રહી છે. કેન્દ્રીય ટીમ ત્યાં ત્રણથી ચાર દિવસ સુધી એક સર્વે કરશે, ત્યારબાદ તેઓ કેન્દ્ર સરકારને પોતાનો અહેવાલ રજૂ કરશે.
કોરોના સંક્રમણના વધવાનું કારણ શું હોઈ શકે છે
ડો.હર્ષવર્ધને બેઠકમાં જણાવ્યું હતું કે કોરોના સંક્રમણનું હાલ સૌથી અસરગ્રસ્ત રાજ્ય છત્તીસગઢ છે, જ્યાં સંક્રમણના કેસોમાં 8 ટકાનો વધારો થઈ રહ્યો છે અને પોઝિટીવીટી રેશિયો 20 ટકાએ પહોંચી ગયો છે. આ સાથે રાજ્યમાં પોઝિટિવ કેસોમાં 10 ગણો વધારો થયો છે. આ સાથે જ સંક્રમણ દિલ્હી અને રાજસ્થાનમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે લગ્ન, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ અને ખેડૂત આંદોલનને કારણે આગામી દિવસોમાં પોઝિટિવ કેસોમાં મોટો વધારો થઈ શકે છે.
24 કલાક દરમિયાન ભારતમાં કોરોનાના 96,982 નવા કેસ
દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન, કોરોનાના 96,982 નવા કેસ નોંધાયા છે. આ સાથે, સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 1,26,86,049 થઈ ગઈ છે. આ સમય દરમિયાન, 446 લોકોનાં મોત થયાં. મૃત્યુના નવા આંકડાઓ સાથે, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હવે 1,65,547 સુધી પહોંચી ગઈ છે. છેલ્લા એક દિવસમાં, કોરોનાથી 50,143 લોકો સાજા થયા છે, જે પછી દેશમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 1,17,32,279 થઈ ગઈ છે. દેશમાં હાલમાં 7,88,223 સક્રિય કેસ છે.