લોકરક્ષક દળ પરીક્ષા મામલે હર્ષ સંઘવીએ પરીક્ષાર્થીઓને સંબોધી જણાવ્યું હતું કે, કોઇ પણ પરીક્ષાર્થી ખોટી વિગતોથી ભરમાશો નહિં.તકલીફ પડે તો ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક કરવો
લોક રક્ષકદળની પરીક્ષા મુદ્દે બોલ્યાં હર્ષ સંઘવી
"તમામ પરીક્ષા સેન્ટર પર સારી વ્યવસ્થા"
"તકલીફ પડે તો ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક કરશો"
લોક રક્ષક દળ પરીક્ષા મામલે રાજ્ય ગૃહમંત્રીનું નિવેદન
સુરતમાં આજે પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકરક્ષક પરીક્ષાને લઈને પણ નિવેદન આપ્યું હતું. તેમણે તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે. કોઈ પણ જાતની અફવામાં ન આવવા અપીલ કરી છે. પરીક્ષા માટે સરકાર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી હોવાની માહિતી આપી છે. આ સાથે તમામ પરીક્ષા સેન્ટર પર ઝડબે સલાક વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે પરીક્ષાર્થીઓને અપીલ કરી છે કે, કોઈ પણ ખોટી વિગતોથી ભરમાશો નહીં.
તમામ પરીક્ષા સેન્ટર પર ઝડબેસલાક વ્યવસ્થા-સંઘવી
કોઈ પણ પરીક્ષાર્થીઓને પરીક્ષા દરમિયાન તકલીફ પડે તો તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક સાધવો. એલઆરડીની પરીક્ષા IPS હસમુખ પટેલની આગેવાનીમાં પરીક્ષા યોજાશે.આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, તમામ પરીક્ષા સેન્ટર પર ઝડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. અને દરેક સેન્ટર પર PI નો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
2,94,000 વધુ ઉમેદવારોને લેખિત પરીક્ષા આપશે
ઉલ્લેખનીય છે કે, આવતી કાલે રાજ્યમાં ભરમાં લોકરક્ષ દળની લેખિત પરીક્ષા યોજવામાં આવશે. લોક રક્ષકની ભરતીમાં શારીરિક કસોટીમાં 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેમની માટે 10 એપ્રિલના રોજ લેખિત પરીક્ષા યોજવામાં આવી છે.