નાગરિકોને TRB જવાનોથી અનેક તકલીફો પડી રહી છે. ત્યારે જાણો TRB જવાનનું મુખ્ય કાર્ય શું? અને હવે તમને રોકે તો..
TRB જવાનો દ્વારા વાહનચાલકોને હેરાનગતિનો મામલો
ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી આપ્યા કડક આદેશ
નાગરિકોને TRB જવાનોથી તકલીફ પડશે તો કાર્યવાહી થશે
હવે નાગરિકોને હેરાન કરતાં TRB જવાનોની ખેર નથી, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાંહેધરી લેતા TRB જવાનોથી જનતા પડતી તકલીફ પર મોટું નિવેદન આપતા કહ્યું છે કે જો નાગરિકો પાસે ઉઘરાણી કરાશે કડક પગલાં ભરાશે. TRB પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી દાદાગીરી કરીને રૂપિયા વસૂલતા જવાનોના અનેક વીડિયો વાયરલ થયા છે અને થઈ રહ્યા છે.
ગૃહ રાજ્યમંત્રીનો TRBના જવાનોને મોટો આદેશ
રાજ્ય સરકારનું ખૂબ સ્પષ્ટ વલણ છે, જો જનતા પાસે જો કોઈ ખોટા પૈસા લેતો TRB જવાન ઝડપાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક સંદેશ આપતા કહ્યું હતું કે TRBના જવાનોની જવાબદારી ઉપલાં અધિકારીની રહેશે જો જો નાગરિકો પાસે ઉઘરાણી કરાશે મોટા પગલાં ભરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપી હતી. મહત્વનું છે કે TRB જવાનનું મુખ્ય કાર્ય પોલીસને મદદ કરવાનું તેમજ ટ્રાફિક નિયમન કરવાનું છે. કોઈ પણ TRB જવાન તમારી પાસે દંડના નામે રૂપિયા ઉઘરાવી શકે નહીં તે સત્તા ફક્ત પોલીસ તેમજ TRBના ઉપલા અધિકારીને જ આપવામાં આવી છે. તો જો કઈ TRB જવાન તમને પકડે અને રૂપિયાની માગણી કરે તો સબૂત તરીકે વીડિયો ઉતારી ઉપલા અધિકારીને બતાવી શકો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યા અનુસાર TRB જવાનોની કામગીરીની તમામ જવાબદારી તેના ઉપલા અધિકારીની છે.
TRB જવાનનું કાર્ય શું?
પોલીસને મદદ કરવી તેમજ ફક્ત ટ્રાફિક નિયમન કરવું
TRB જવાન દંડની વસૂલાત કરી શકે નહીં
TRB જવાન વાહન રોકે તો કોઈ કાર્યવાહી ન કરી શકે તેમના ઇન્ચાર્જ જ પાવતી આપી શકે
રાજ્ય સરકારનો અન્ય એક નિર્ણય
કલ્પસર વિભાગના વર્ગ 1 અને 2ના અધિકારીઓ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં બદલીને લઈ સરકારના વિભાગ તરફથી મોટા આદેશ આપવામાં આવ્યા છે કે એકજ સ્થળ પર ચાર વર્ષ ફરજ બજાવનાર અધિકારીની બદલી કરવામાં આવશે. જે માટે વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓની તત્કાલ બદલી કરવા પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે.