ગાંધીનગરમાં સરકારી કર્મીઓના ધરણા અને જગદિશ ઠાકોરના નિવેદન મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે.
આજે સાંજે પૂર્વ સૈનિકો સાથે હર્ષ સંઘવીની બેઠક
કોંગ્રેસના આક્ષેપ પર હર્ષ સંઘવીનો જવાબ
કોંગ્રેસે કોઈ સારું કામ કર્યુ છે?- હર્ષ સંઘવી
પૂર્વ સૈનિકોના આંદોલન મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા સૈનિકોના હિતમાં અનેક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. દેશના પૂર્વ સૈનિકો સાથે બેઠકો કરી કયા પ્રશ્નો તાત્કાલિક ઉકેલાય તેમ છે અને કયા પ્રશ્નો સમય માંગી લે તેવા છે એ તમામ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એ પ્રમાણે નિર્ણયો પણ કરવામાં આવ્યા છે. વધુમાં ધરણા પર બેઠેલા પૂર્વ સૈનિકોની તમામ વ્યવસ્થા પણ ગુજરાત પોલીસ દ્વારા કરવામા આવી હોવાનું હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું. વધુમાં પૂર્વ સૈનિકો સાથે આજે સાંજે ફરી બેઠક છે અને પૂર્વ સૈનિકો સાથે રાજકારણ કરવું એ હું યોગ્ય નથી માનતો તેમ હર્ષ સંઘવી જણાવ્યું હતું.
સરકારી કર્મીના 25 વિષયો પર સમાધાન આવ્યું
ઉપરાંત ગાંધીનગરમાં સરકારી કર્મીઓના ધરણા મુદ્દે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરકાર દરેક વિષય પર સરકારી કર્મચારીઑના સાથે જ છે. વધુમાં તેમની અપેક્ષા કરતા પણ વધુ 25 જેટલા વિષયો પર સરકાર દ્વારા સમાધાન લાવ્યા છીએ. ઉપરાંત હર્ષ સંઘવીએ જણાવ્યું કે દેશમાં અનેક રાજ્યોમાં હજુ છઠ્ઠા પગારપંચ પ્રમાણે પગાર ચૂકવવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં 7માં પગારપંચ પ્રમાણે 9 લાખ કર્મચારીને લાભ મળી રહ્યો હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
કોંગ્રેસના આક્ષેપ પર હર્ષ સંઘવીનો જવાબ
બીજી તરફ જગદીશ ઠાકોરના નિવેદન પર હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી. હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર કોંગ્રેસે ક્યારેય કાંઈ સારૂં કામ કર્યું નથી. કોંગ્રેસે ભાગલા પાડવા સિવાય બીજુ કાંઇ કામ કર્યું જ નથી. હાલ ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ નેતા ચૂંટણી પહેલા બહાર નીકળ્યા છે તો કાંઈક તો બોલશે જ તેમ અંતમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.