યુવરાજ સિંહની ધરપકડ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતાં જણાવ્યું કે, કાયદો કાયદાનું કામ કરશે
યુવરાજસિંહ મુદ્દે હર્ષ સંઘવીનું મોટું નિવેદન
યુવરાજસિંહ આપેલી અરજી મામલે તપાસ કરાઇ રહી છે-સંઘવી
કાયદો કાયદાનું કામ કરશે-સંઘવી
યુવરાજસિંહ મુદ્દે હર્ષ સંઘવીનું મોટું નિવેદન
યુવરાજ સિંહની ધરપકડ બાદ રાજ્યનાગૃહમંત્રી હર્ષ સંઘવીએ પહેલીવાર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, યુવરાજસિંહ દ્વાર અવાર નવાર પેપર લીક મામલે અરજીઓ અપાઈ છે. તે તમામ અરજીઓને અમે ગંભીરતા પૂર્વક લીધી છે. તેમાં જે જે હકીકત સાચી હતી. તેમાં તાત્કાલિક કેસ દાખલ કરવામાં આવ્યા છે. તમામ કેસોને ગંભીરતા પૂર્વક તપાસ કરવામાં આવી છે.
પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે યુવરાજસિંહ પર તપાસ થઇ રહી
બીજી તરફ ગાંધીનગર ખાતે પોલીસ પર કાર ચઢાવવાનો કેસ મામલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે યુવરાજસિંહ પર તપાસ થઇ રહી છે.પોલીસ કાર્યવાહી અને પેપર લીક કેસને કોઇ સંબંધ નથી. યુવરાજસિંહ મામલે કોઇ વધારાની કાર્યવાહી નથી કરાઇ. યુવરાજસિંહના કેસને પેપર લીક કેસ સાથે જોડવો અયોગ્ય છે.
સરકારે યુવરાજસિંહના તમામ આરોપોને ગંભીરતાથી લીધા હતા.
અગાઉ જ્યારે પણ યુવરાજસિંહે જાહેર ભરતીની પરીક્ષા વિશે સવાલો ઉઠાવ્યા ત્યારે સરકારે કાર્યવાહી કરી છે. એવા કેટલાક કિસ્સાઓ પણ છે જેમાં એક માત્ર યુવરાજસિંહે સરકારને ગેરરીતિ અંગે આપેલી માહિતી પર સરકારે પગલા લીધા છે, અને ફરિયાદો નોંધીને દોષીઓની ધરપકડ પણ કરી છે. સરકારની મનશા યુવરાજસિંહને પરેશાન કરવાની નહી પણ, કાયદાના શાસનને લાગૂ કરવાની લાગી રહી છે. વિદ્યાર્થીઓ અને ગુજરાતની જાહેર ભરતીના હિતમાં સરકારે યુવરાજસિંહના તમામ આરોપોને ગંભીરતાથી લીધા હતા.
AAP નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડનો મામલો
ઉલ્લેખનીય છે કે, 7મી એપ્રિલે આપ નેતા યુવરાજસિંહ જાડેજા ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના સમર્થનમાં પહોચ્યા હતા. વિરોધ વધુ ઉગ્ર બને તેવી સંભાવનાને પગલે યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે SP મયુર ચાવડાએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે યુવરાજસિંહ અને દિપક ઝાલા સચિવાલયથી SP કચેરી આવ્યા હતા. જ્યાં પોલીસ સાથે ઘર્ષણ કરી ધક્કા મારી નિકળવાનો પ્રયત્ન કર્યો હતો. યુવરાજસિંહે ભાગવાના પ્રયાસમાં ગાડી લઈને નિકળવાનો પ્રયાસ કર્યો હતો.જેથી યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી.
કોઇ પણ ઉમેદવાર ખોટી વિગતોથી ભરમાશો નહિ-સંઘવી
આ ઉપરાંત હર્ષ સંઘવીએ લોકરક્ષક પરીક્ષાને લઈને પણ નિવેદન આપ્યું હતું. તેમણે તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે. કોઈ પણ જાતની અફવામાં ન આવવા અપીલ કરી છે. પરીક્ષા માટે સરકાર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી હોવાની માહિતી આપી છે.