સુરતમાં ક્ષેત્રપાલ હનુમાન મંદિરના દર્શને આવેલા ગૃહરાજ્યમંત્રીએ ખંભાતમાં દબાણો તોડી પાડવા અંગે આપ્યુ મહત્વનું નિવેદન
ખંભાતમાં ગેરકાયદે દબાણ પણ ફેરવાયુ બુલ્ડોઝર
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
'રાજ્યમાં દબાણો ક્યારેય સ્વીકારાય નહીં'
બુલ્ડોઝર દ્વારા કાર્યવાહી કરવાની શરુઆત હવે ગુજરાતમાં પણ થઇ છે. રામનવમીના દિવસે ખંભાતમાં થયેલી જુથ અથડામણ બાદ દબાણ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પોલીસને સાથે રાખીને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું હતું.
રાજ્યમાં દબાણો ક્યારેય સ્વીકારાય નહીં: હર્ષ સંઘવી
ખંભાતમાં દબાણો હટાવવા મામલો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું કે રાજ્યમાં દબાણો ક્યારેય સ્વીકારાય નહીં. તહેવારોમાં વ્યવસ્થા તોડવા કોઈ પ્રયાસ કરશે તો કડક કાર્યવાહી થશે.ગુજરાતના નાગરિકો શાંતિપ્રિય છે. ગુજરાત દેશમાં રોલ મોડલ છે .ગુજરાતમાં કોઈ બનાવ ન બને તે માટે સતર્ક હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
સરકારી જમીન ઉપર આવેલા ઝાડી-ઝાંખરા, દુકાનો દૂર કરાયા
મહત્વનું છે કે રામ નવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન તોફાની તત્વોએ ઝાડી-ઝાંખરાની આડાશ લઈને પથ્થરમારો કર્યો હતો. જેથી જિલ્લા કલેક્ટરે બેઠક યોજીને આ દબાણ દૂર કરવા જણાવ્યુ હતું. જેમાં સરક્કરપુરની સરકારી જમીન પર આવેલા દબાણો પોલીસના બંદોબસ્ત વચ્ચે દૂર કરાયા હતા.
MLA ગ્યાસુદ્દીન શેખે ઉઠાવ્યો હતો વાંધો
આણંદના ખંભાતમાં ડિમોલેશન મામલે MLA ગ્યાસુદ્દીન શેખે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરી હતી. ગ્યાસુદ્દીને કહ્યું કે, ખંભાતમાં ડિમોલિશન અસંવૈધાનિક છે. કાનૂની પ્રક્રિયા વગર ડિમોલિશન કરાયું છે. માત્ર આરોપોના આધારે ડિમોલેશન કરાયું છે. મિલકત સંબંધિત વ્યક્તિને પુરાવા રજૂ કરવાની તક આપવી જોઈએ.
ગેરકાયદે બાંધકામ સામે ગુજરાત સરકારની કાર્યવાહી
પોલીસ અને તંત્રનું કહેવું છે કે આ જગ્યાથી હિંસાની આગ ફેલાઈ હતી. તંત્રનો પહેલાથી દાવો હતો કે હિંસા પાછળ બહારના લોકોનો પણ હાથ છે અને આજે ગેરકાયદ નિર્માણ પર સરકારનું બુલડોઝર ચાલી પડ્યું. આ પહેલા ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ બુલડોઝર એક્શનમાં આવ્યું હતું અને ગેરકાયદે બાંધકામ સામે સરકારે કાર્યવાહી કરી હતી