'ટ્રાફિક નિયમ તોડનાર વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી, એની જોડે માનવતા પૂર્વક જ વ્યવહાર થવો જોઇએ' આ નિવેદન આપ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ.. સુરત શહેરમાં પોલીસ દ્વારા રવિવારે પોલીસ ગૌરવ સમારોહ રાખવામાં આવ્યો હતો.. જેમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કોરોના કાળમાં પણ પોલીસ જવાનો ખડેપગે રહ્યા છે.. જે બદલ હર્ષ સંઘવીએ સૌ કોઈને અભિનંદન આપ્યા હતા..
હર્ષ સંઘવીએ શહેરોમાં ટ્રાફક સમસ્યાને લઈને પોલીસને કામગીરીને બિરદાવી હતી.. પોલીસને અભિનંદન આપતા સંઘવીએ કહ્યું હતું કે ટ્રાફિક નિયમ તોડનાર રીઢા ગુનેગાર નથી, તેમની સાથે માનવીય વર્તન કરવું જોઈએ એવી ટકોર કરી હતી...અને સુરતમાં પોલીસ ગૌરવ સમારોહ અંતર્ગત પોલીસના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને પોલીસની છબી સુધારવા માટે કાર્ય કરવું પડશે તેવું જણાવ્યું હતું..
ગૃહરાજ્ય મંત્રીએ પોલીસની કામગીરી બિરદાવી
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં પ્રથમવાર ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવવાનુ કાર્ય કર્યું છે. કોરોના કપરાકાળ દરમિયાન પોલીસ જવાનોએ ખડેપગે રહીને કરી છે આ કામગીરીને યાદ કરીને સૌ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે તેમણે ટ્રાફિક નિયમ તોડનારા નાગરિકો સાથે માનવતાપૂર્વક વ્યવહાર કરવાની ટકોર પણ કરી હતી.
પોલીસ સ્ટેશનમાં આવતા સામાન્ય માનવી સાથે સારો વ્યવહાર થાય તે જરૂરી હોવાનું તેમણે કહ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 63 દિવસમાં 67 કેસોમાં 1350 કરોડનુ ડ્રગ્સ પકડીને ગુજરાત પોલીસે શ્રેષ્ઠ કામગીરી કરી છે. રાજ્યની શાંતિ, સલામતી અને સુરક્ષાએ ગુજરાતની પોલીસને આભારી છે. તેમણે કહ્યું કે, આગામી સમયમાં પોલીસ કર્મયોગીને રહેવા માટે મકાનો મળી રહે તે માટે હાઉસીંગ પોલિસી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. પોલીસની કોઈ મુશ્કેલીઓને હશે તે તેનું સુખદ નિરાકરણ લાવવામાં આવશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.