પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર હરપ્રીત બરારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મેચમાં જીતમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.
અક્ષય કુમાર પર કર્યો કટાક્ષ
પૈસા માટે પાઘડી નથી પહેરતા
બરારે છેલ્લી મેચમાં કર્યુ શાનદાર પ્રદર્શન
બરારે 25 રન બનાવ્યા અને બાદમાં જ્યારે બોલિંગ કરવા ઉતર્યો તો કોહલી, એબી ડિવિલિયર્સ અને ગ્લેન મેક્સવેલની વિકેટ લઇને ટીમની પકડ મજબૂત બનાવી હતી. બાદમાં બરારને મેન ઓફ ધ મેચ સિલેક્ટ થયો હતો.
પંજાબ કિંગ્ઝના ઓલરાઉન્ડર બરાર પંજાબના મોગાનો રહેનારો છે. ગયા અઠવાડીયે એક યુઝરે તેની તુલના સિંઘ ઇઝ કિંગ સાથે કરી હતી પરંતુ હરમનને આ વાત ગમી ન હતી. બાદમાં બરારે અક્ષય કુમાર પર કટાક્ષ કર્યો હતો.
બરારે અક્ષય કુમાર પર કટાક્ષ કર્યો
તમને જણાવી દઇએ કે 6 વર્ષ પહેલા આવેલી ફિલ્મ સિંઘ ઇઝ બ્લિંગમાં પાઘડી પહેરનાર શખ્સની ભૂમિકા ભજવી હતી. તેની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો કારોબાર કર્યો હતો. તેને લઇને જ હરપ્રીતને યુઝરે કહ્યું હતુ કે તમે તો સિંઘ ઇઝ બ્લિંગના અક્ષય કુમાર જેવા દેખાઓ છોય ત્યારે બરારે કહ્યું કે અમે પૈસા માટે પાઘડી નથી પહેરતા. સાથે તેણે ખેડૂતોને સપોર્ટ કરવાવાળુ હેશટેગ પણ શેર કર્યુ હતુ.
ભારતમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે આઇપીએલને લઇને વિવાદ છેડાયો છે. વિદેશી ક્રિકેટરે કહ્યું કે જે દેશમાં હેલ્થ આટલી મોટી સમસ્યા છે ત્યાં ક્રિકેટ પર આવડી મોટી રકમ કેવી રીતે ખર્ચ કરી શકાય?
વધતા કોરોના કહેરના કારણે આઇપીએલને વચ્ચે જ મૂકીને ઓસ્ટ્રેલિયા રવાના થયેલ રાજસ્થાન રોયલના ફાસ્ટ બૉલર એન્ડ્રુ ટાયે ખુબ હેરાની જતાવી છે. ટાયએ કહ્યું કે જો લીગથી કોવિડ-19 મહામારીના કારણે પીડિત લોકોનો તણાવ દૂર થઇ રહ્યો થે તે તેને ચાલુ રાખવુ જોઇએ.
ટાયે આપ્યુ નિવેદન
ટાયે કહ્યું કે, જો લીગને ભારતીય દ્રષ્ટિકોણથી જોઇએ તો આ કંપનીઓ અને ફ્રેંચાઇઝી, સરકાર આવા સમયમાં આઇપીએલ પર આટલા પૈસા કેવી રીતે ખર્ચ કરી રહી છે જ્યાં લોકોને હોસ્પિટલ નથી મળી રહી.
ટાયએ ક્રિકેટ ડૉટ કોમ ડૉટ એયુને કહ્યું કે, જો ખેલ ચાલુ રહે અને તેનાથી લોકોની માનસિક હાલતમાં સુધાર આવે છે તો તેને ચાલુ રાખવો જોઇએ પરંતુ હું માનુ છુ કે બધાના વિચારવાની રીત અલગ અલગ હોય છે. હું બધાના વિચારોનું સન્માન કરુ છુ.