દિપ્તી શર્માની છેલ્લી વિકેટ પર વાત કરતાં કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે કોઈએ એવું નથી કર્યું, જે ICCના નિયમો વિરુદ્ધ હોય.
ઈંગ્લેન્ડ સામે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જીત
છેલ્લી વિકેટ લીધી દિપ્તી શર્માએ
હરમનપ્રીતે કહ્યું કે કોઈએ એવું કંઇ નથી કર્યું જે ICCના નિયમો વિરુદ્ધ હોય
ઈંગ્લેન્ડ સામે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જીત
હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતે શનિવારે લોર્ડ્સમાં રમવામાં આવેલ ઓછા સ્કોરની અને રોમાંચક ત્રીજી વન ડે ઇન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને 6 રનથી માત આપીને પહેલી વાર યજમાન ટીમને તેમની જ ધરતી પર હરાવી છે. ઈંગ્લેન્ડની ટીમ લોર્ડ્સ પર 170ના લક્ષ્ય સાથે રેણુકા સિંહ, ઝૂલન ગોસ્વામી અને રાજેશ્વરી ગાયકવાડની ધારદાર બોલિંગ સામે 43.3 ઓવરમાં જ 153 રન પર ઓલ આઉટ થઈ ગઈ.
જીત બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરે છોકરીઓના પ્રદર્શન માટે પ્રશંશા કરી અને આ વાતથી ખૂબ જ ખુશ જોવા મળી કે સીરઝ જીતવાની સાથે ઝૂલન ગોસ્વામીને એક આદર્શ વિદાય મળી. અનુભવી ફાસ્ટ બોલર ઝૂલનની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી. પણ કૌરે ઓલરાઉન્ડર દિપ્તી શર્માના વખાણ કર્યા, જેણે છેલ્લી વિકેટની યોજના બનાવીને ઐતિહાસિક જીતને સંભવ બનાવી.
હરમનપ્રીતે કહ્યું કે કોઈએ એવું કંઇ નથી કર્યું જે ICCના નિયમો વિરુદ્ધ હોય
મેચ બાદ પ્લેયર ઓફ ધ સીરિઝનો પુરસ્કાર લેતા સમયે કૌરે રન આઉટને લઈને વાત કરતાં કહ્યું કે મેં વિચાર્યું હતું કે તમે પહેલી નવ વિકેટ વિષે પૂછશો કેમકે તે લેવી પણ સરળ ન હતી. મને લાગે છે કે અમે કંઇક નવું કર્યું છે. મને લાગે છે કે આ તમારી જાગરૂકતા દર્શાવે છે કે બેટર શું કરી રહ્યો છે. હું પોતાના ખેલાડીનું સમર્થન કરીશ કેમકે મને નથી લાગતું કે કંઇપણ એવું થયું છે જે આઇસીસીના નિયમો વિરુદ્ધ હોય.
ચાર્લોટ ડીન અને ફ્રેયા ડેવિસએ 10મી વિકેટ માટે 35 રન જોડીને ઈંગ્લેન્ડની જીતની આશા જગાવી હતી. દીપ્તિ, જોકે, તેણે સમજદારી બતાવી અને ચાર્લોટ ડીનને તેના જ બોલ પર રન આઉટ કરી. ફ્રેયા ડેવિસ બેટિંગ કરી રહી હતી અને બોલ દીપ્તિના હાથમાં હતો. જ્યારે દીપ્તિ બોલિંગ કરવા માટે આગળ વધી, ત્યારે તે બોલિંગ કરી શકે તે પહેલાં જ ચાર્લોટ ડીન બોલિંગના અંતે ખૂબ જ આગળ ગઇ અને ભારતીય બોલરે તેને રનઆઉટ કરીને જીત અપાવી.