દીપ્તિ શર્માએ ચાર્લી ડીનને રનઆઉટ કરી હતી, એ મામલે ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે હવે મૌન તોડ્યું છે. જાણો તે શું કહે છે.
દીપ્તિ શર્માએ ત્રીજી મહિલા વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં ચાર્લી ડીનને રનઆઉટ કરી હતી
આમ રન આઉટ કરવી ટીમની યોજનાનો ભાગ નથી : હરમનપ્રીત કૌર
ICCએ કર્યા નિયમોમાં ફેરફાર
દીપ્તિ શર્માએ ચાર્લી ડીનને રનઆઉટ કરી હતી
ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ ત્રીજી મહિલા વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં ચાર્લી ડીનને રનઆઉટ કરી હતી. આ મુદ્દે હવે મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે શુક્રવારે કહ્યું કે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં ચાર્લી ડીનને રન આઉટ કરવી એ ભારતીય ટીમની યોજનાનો ભાગ નથી, પરંતુ તે રમતના નિયમો હેઠળ હતું.
ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ બોલ ફેંકતા પહેલા ઈંગ્લેન્ડના બેટ્સમેન ચાર્લી ડીનને ક્રિઝ છોડીને રનઆઉટ કરી હતી. મહિલા એશિયા કપ પહેલા, હરમનપ્રીતે દીપ્તિનું સમર્થન કર્યું અને કહ્યું કે હવે આ વિવાદને પાછળ છોડી દેવાનો સમય આવી ગયો છે. તેણે કહ્યું, 'અમે છેલ્લી કેટલીક મેચોથી આ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. તે ક્રિઝની બહાર જઈ રહી હતી અને અયોગ્ય લાભ લઈ રહી હતી, તે દીપ્તિની જાગરૂકતા હતી.
આમ રન આઉટ કરવી ટીમની યોજનાનો ભાગ નથી
હરમનપ્રીત કૌરે આગળ કહ્યું કે આ યોજનાનો ભાગ ન હતો પણ બંને ટીમ ત્યાં મેચ જીતવા માટે જ રમી રહી હતી. જ્યારે પણ તમે મેદાન પર હોવ છો, તો તમે કોઈપણ કિંમતે જીતવા માંગો છો. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ પ્રકારે આઉટ કરવું નિયમો હેઠળ જ છે. આપણે આઅ પાછળ છોડીને આગળ વધવું પડશે.
ICCએ કર્યા નિયમોમાં ફેરફાર
રન આઉટની આ પદ્ધતિ હાલમાં અયોગ્ય રીતે રાખવામાં આવી છે પરંતુ આવતા મહિનાથી અમલમાં આવનાર ICCના રમતના નિયમોમાં તેને રન આઉટની શ્રેણીમાં રાખવામાં આવશે. દીપ્તિએ કહ્યું હતું કે ટીમના ખેલાડીઓએ ડીનને આઉટ કરતા પહેલા અમ્પાયરને તેના વારંવાર ક્રિઝમાંથી બહાર જવા વિશે પણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે અમે અમ્પાયરને કહ્યું હતું, છતાં તે બહાર જઈ રહી હતી. આવી સ્થિતિમાં અમે કંઈ કરી શકીએ તેમ ન હતા.