ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ રમેશ પોવાર અને ક્રિકેટર મિતાલી રાજની વચ્ચે ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ટીમની કેપ્ટન હરમનીપ્રીત કૌર અને ઉપકેપ્ટન સ્મૃતિ મંધાના કોચ પોવારનો સાથ આપ્યો છે.
બંનેએ સોમવારેની સાંજે પ્રશાસકોની સમિતિના ચેરમેનને ઇમેલ કરીને પોવારને ટીમના કોચ પદ પર યથાવત
રાખવાની માગ કરી છે.
હરમનપ્રીત અને સમૃતિ મંધાનાએ ઇમેલમાં સ્પષ્ટ લખ્યું છે કે મિતાલીને સેમીફાઇનલમાં ટીમથી બહાર નિકાળવાનો નિર્ણય બધાએ મળીને લીધો હતો. હરમનપ્રીત અને સ્મૃતિએ લખ્યું છે કે મિતાલીને સેમીફાઇનલ માટે ટીમથી બહાર કરવાનો નિર્ણય એકલા પોવારનો નહતો.
આ નિર્ણયમાં પોવારની સાથે એ બંને ઉપરાંત પસંદગીકર્તા સુધા શાહ અને મેનેજર તૃપ્તિ ભટ્ટાચાર્ય સામેલ હતા. તેઓને વિશ્વાસ છે કે મિતાલીને બહાર કરવાનો નિર્ણય વ્યક્તિગત નહીં પરંતુ ટીમના હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
હરમનપ્રીતે એવું પણ કહ્યું કે પોવાર અને મિતાલીને એક પરિવારની જેમ સાથે બેસીને પોતાના મતભેદોનો ઉકેલ લાવો જોઇએ. આ બંને માટે અને ટીમ માટે હિતમાં રહેશે.
હરમનપ્રીતે તમામ અધિકારીઓને અપીલ કરતાં કહ્યું કે ટી20ની કેપ્ટન અને વન ડે ટીમની ઉપકેપ્ટન હોવાના કારણે એ અપીલ કરે છે કે પોવારને ટીમના કોચ પદ પર યથાવત રાખવા જોઇએ. એવું ધ્યાનમાં રાખવું જોઇએ કે ઓસ્ટ્રેલિયામાં થનારી ટી 20 વિશ્વકપમાં માત્ર 15 મહિનાનો સમય બાકી છે.