કોચ રમેશ પોવારના કાર્યકાળના વિવાદિત અંત બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પણ હવે વિખવાદ સામે આવ્યો છે. ટી-20 કપ્તાન હરમનપ્રીત કૌર અને ઉપ કપ્તાન સ્મૃતિ મંધાનાએ સિનિયર ખેલાડી મિતાલી રાજ સાથેના મતભેદ બાદ કોચ પોવારની વાપસીની માગ કરી છે.
C.O.A.ના અધ્યક્ષ વિનોદ રાયે જણાવ્યું કે હરમનપ્રીત અને સ્મૃતિએ પોવારને 2021 સુધી કોચ બનાવવાનું સમર્થન કર્યું છે. વિનોદ રાયે કહ્યું કે મેં પત્ર લખ્યો છે કે હું પણ ઈચ્છુ છુ કે રમેશ પોવાર કોચના પદે બન્યા રહે. હરમનપ્રીત અને સ્મૃતિએ ભલે પોવારનો કાર્યકાળ વધારવાનું સમર્થન કર્યુ હોય પરંતુ એકતા બિષ્ટ અને માનસી જોશી સિવાય એક દિવસના કપ્તાન બનેલા મિતાલીએ પોવારને ફરીથી કોચના પદે લાવવાના વિરદ્ધમાં છે.
હરમનપ્રીતે પોતાના પત્રમાં લખ્યું છે કે ટી -20 કપ્તાન અને એક દિવસીય ઉપ કપ્તાનના તરીકે તમને અપીલ કરૂ છું કે પોવારને અમારી ટીમના કોચ તરીકે યથાવત રાખવાની વાતને મંજૂરી આપવામાં આવે.
હરમનપ્રીતે કહ્યું કે પોવારના આવ્યા બાદ તેમના સહયોગી સ્ટાફ સાથે મળીને એક ટીમનું મનોબળ વધાર્યું છે. જેનાથી અમે સતત 14 ટી-20 મેચ જીતવામાં સફળ રહ્યા છે. તેઓએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો છે.