ભારતીય ક્રિકેટ ઇતિહાસની સૌથી સફળ કેપ્ટન મિથાલી રાજે નિવૃત્તિ જાહેર કર્યા બાદ આજે શ્રીલંકા સામેની શ્રેણી માટે ટીમની જાહેરાત થઈ ગઈ છે જેમાં હરમનપ્રતિ કૌરને ટીમ ઇન્ડિયાનું સુકાન સોંપવામાં આવ્યું છે.
બીસીસીઆઈએ શ્રીલંકા સામેની ટીમ ઈન્ડીયાની કરી જાહેરાત
હરમનપ્રીત કૌરને બનાવી કેપ્ટન
ઝૂલન ગોસ્વામીને પડતી મૂકાઈ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુકાની મિથાલી આજે નિવૃત્તિ જાહેર કરતાં હવે પછીની વન-ડે શ્રેણી માટેની ટીમની જાહેરાત થઈ ગઈ છે જેમાં કેપ્ટન પદે હરમનપ્રીત કૌરને તક આપવામાં આવી છે. સાથે ઓપનર બેટર સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન બનશે.
Harmanpreet Kaur named as captain of Indian women cricket team for upcoming Sri Lanka tour
હવે લગભગ ત્રણેય ફોરમેટમાં હરમનપ્રીત જ કેપ્ટન્સી કરશે એવું જણાઈ રહ્યું છે.
ઝુલન ગોસ્વામીને સ્થાન નહીં
ઉલ્લેખનીય છે કે અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામીને વનડે ટીમમાં સામેલ કરવામાં આવી નથી. ન્યુઝીલેન્ડમાં વર્લ્ડ કપ દરમિયાન ઝુલન ટીમ સાથે હતી. ભારતીય મહિલા ટીમ 23 જૂનથી દામ્બુલા અને કેન્ડીમાં ત્રણ ટ્વેન્ટી-20 મેચ અને ત્રણ વનડે શ્રેણી રમશે.