ભારતમાં આવ્યાના એક જ દાયકામાં હાર્લી ડેવિડસન તેના એસેમ્બલી ઓપરેશન દેશમાં બંધ કરી દેવાનું વિચારી રહી છે. આ પાછળનું મુખ્ય કારણ નબળું વેચાણ અને ભવિષ્યની ધૂંધળી તકોને માનવામાં આવે છે.
વિશ્વભરમાં એક બ્રાન્ડ તરીકે જાણીતી હાર્લી ડેવિડસને એક રિવાયર સ્ટ્રેટેજી અમલમાં મૂકી છે જે અંતર્ગત તેઓ તેમના મુખ્ય 50 માર્કેટ ઉપર જ ફોકસ કરવા જઈ રહ્યા છે. આ માર્કેટના મોટા ભાગના વિસ્તારો અમેરિકા, યુરોપ અને એશિયા પેસિફિકના વિસ્તારો છે જ્યાં કંપની મોટા પ્રમાણમાં વેચાણ અને વૃદ્ધિની તકો ધરાવે છે. કંપનીના બીજા ક્વાર્ટરના પરિણામો દરમિયાન એક અગત્યના નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે કંપની ઇન્ટરનેશનલ માર્કેટ્સમાંથી એક્ઝિટ થવાનો પ્લાન કરી રહી છે જ્યાં વેચાણ અને નફો સારો મળી રહ્યો નથી. આ તેમની ભવિષ્યની સ્ટ્રેટેજી છે.
આ ઉપરાંત GM અમેરિકન ઓટો કંપની ભારતમાંથી વિદાય લઇ ચુકી છે
નોંધનીય છે કે હાર્લી ડેવિડસને ભારતમાં ગયા નાણાકીય વર્ષમાં 2500થી પણ ઓછા યુનિટ્સ વેચ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ વારંવાર હાર્લી ડેવિડસન ઉપર ભારત દ્વારા લાગતા ટેરિફની ટીકા કરી છે. જો હાર્લી ડેવિડસન ભારતમાંથી વિદાય લેશે તો તે 2017ની જનરલ મોટર્સની એક્ઝિટ પછીની બીજી અમેરિકન ઓટોકંપની બની જશે જે ભારતીય માર્કેટને વિદાય આપશે.
કંપનીએ કોઈ સ્ટેટમેન્ટ આપવાથી ઇનકાર કર્યો
જો કે કંપનીએ સત્તાવાર રીતે ભારતમાંથી એક્ઝિટ લેવાની તેમની યોજના ઉપર કોઈ ટિપ્પણી કરી નથી. એવું માનવામાં આવે છે કે કંપની ભારતમાંથી એક્ઝિટ થશે તો પણ જેમણે હાર્લી ખરીદેલી છે તેમની ટેક્નિકલ સપોર્ટ આપવા માટે સેન્ટર્સ ચાલુ રાખશે.
એપ્રિલ થી જૂન 2020માં સમગ્ર ભારતમાં 100થી પણ ઓછા બાઈક વેચાયા
નોંધનીય છે કે હાર્લી ડેવિડસને ભારતમાં ગયા નાણાકીય વર્ષમાં 2500થી પણ ઓછા યુનિટ્સ વેચ્યા છે. એમાં પણ એપ્રિલ થી જૂન 2020માં સમગ્ર ભારતમાં 100થી પણ ઓછા બાઈક વેચાયા છે. આમ ભારત સૌથી ખરાબ પરફોર્મ કરતુ ઇન્ટરનેશનલ માર્કેટ બની ગયું છે. હજુ 2018 જુલાઈમાં જ કંપની મિડલ ક્લાસ વર્ગને આકર્ષિત કરવા માટે 250 થી 500 ccની મોટરસાયકલ ભારતમાં 2 વર્ષમાં લોન્ચ કરવાની યોજના ધરાવતું હતું. કંપનીની ભારતમાં રહેલી વેચાય વગરની ઇન્વેન્ટરી કાઢવા માટે તેમણે તેમના બે મોડલ ઉપર 65000 થી 77000 ના આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કર્યા હતા.