વરિષ્ઠ વકિલ અને દેશના પૂર્વ સોલિસિટર જનરલ સોલ્વેને આંતરરાષ્ટ્રીય સ્તર પર એક મોટી જવાબદારી મળી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સના મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ હરીશ સાલ્વેને પોતાનો કાઉન્સલ તરીકે નિયુક્ત કર્યા છે. મહારાણી એલિઝાબેથ દ્વારા દર વર્ષે કોમનવેલ્થ દેશમાંથી કેટલાંક વરિષ્ઠ વકીલોની નિમણૂક કરવામાં આવે છે, જેમાં આ વખતે હરીશ સાલ્વેનું નામ છે.
વકીલ હરીશ સાલ્વેને મળ્યું મોટુ સન્માન
બ્રિટેનના મહારાણીએ સલાહકાર તરીકે કરી નિમણૂંક
16 માર્ચના રોજ સંભાળશે ક્વીન કાઉન્સલનો પદભાર
ઉલ્લેખનીય છે કે હરીશ સાલ્વે ભારતના એક મોટા વકીલમાંના છે, ગત વર્ષે આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ) માં જ્યારે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવનો કેસ લડ્યો હતો. ત્યારે પાકિસ્તાન વિરુદ્ધ હરીશ સાલ્વેએ કમાન સંભાળી લીધી હતી અને માત્ર એક રૂપિયાની ફી લઇને પાકિસ્તાનને લપડાક મારી હતી.
સુષમા સ્વરાજના નિધન પછી તેમની દીકરીએ હરીશ સાલ્વે સાથે મુલાકાત કરી એક રૂપિયાની ફી આપી હતી. નિધનના એક દિવસ પહેલા પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે હરીશ સાલ્વેને ફોન કર્યો હતો અને ફી લઇ જવા અંગે જણાવ્યું હતું.
👩🏽⚖️ Congratulations to all the solicitors and barristers announced as new QCs today. 👨🏽⚖️
⚖️ Also to those receiving the prestigious Honorary QC award for their major contribution to the law. ⚖️
બ્રિટિશ સરકાર તરફથી જારી કરવામાં આવેલ પ્રેસ રીલીઝ મુજબ, મહારાણીએ આજે 114 વકીલોને પોતાના ક્વીન કાઉન્સલ (QC) તરીકે નિયુક્ત કર્યાં છે. આ સન્માન એ બધા ને મળે છે જેમણે વકિલાત ક્ષેત્રમાં ઉમદા કામ કર્યું હોય. આ 114 સહિત મહારાણીએ 10 વકીલોને સન્માન કરવાનું પણ એલાન કર્યું છે. બ્રિટીશના મહારાણી તરફથી 16 માર્ચના રોજ એક સમારોહમાં આ બધાને સન્માનિત કરવામાં આવશે.