અમદાવાદઃ ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત આજે અમદાવાદની મુલાકાતે છે. ત્યારે તેઓ છેલ્લા ઘણા સમયથી ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. ઉપવાસને લઇને તેને પારણા કરવા માટે સમજાવ્યો હતો. વીટીવી સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું કે જો જીવીશું તો લડી શકીશું. આ સરકાર લોકતંત્રનુ હનન કરી રહી છે અમે લોકતંત્રને બચાવવા પ્રયાસ કરીશું.
હાર્દિક સાથે મુલાકાત બાદ ઉત્તરાખંડના પૂર્વ CM રાવતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં રાવતે કહ્યું કે કેન્દ્ર સરકારની તાનાશાહી લોકતંત્રમાં જોવા મળી રહી છે. હાર્દિક પટેલ લાંબા સમયથી સંઘર્ષ કરે છે. કોંગ્રેસ પાર્ટીએ દેશના ખેડૂતો માટે દેવા માફીની માગ કરી છે.
રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે હાર્દિકની કિડની પર અસર થાય તેવી રાજ્ય સરકારની ઇચ્છા છે. સરકાર જાણી જોઇને કોઇ પગલા ભરતી નથી. દેશના દુશ્મન હોય તેવો વ્યવહાર હાર્દિક સાથે થાય છે. હાર્દિક દેશનો સૌથી મોટો દુશ્મન હોય તેવો છાવણીમાં માહોલ જોવા મળી રહ્યો છે. આંદોલન કરવાથી કોઇને રોકી ન શકાય. હાર્દિકનું જીવન લોકતંત્ર માટે જરૂરી છે.
વધુમાં તેમણે કહ્યું કે હાર્દિકને પારણા કરવા અપીલ કરું છું. ગુજરાતનો સમાજ ઉદાર સમાજ છે. જો જીવીશું તો લડી શકીશું...
ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવતની મુલાકાતને લઇને હાર્દિક પટેલે ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે ખેડૂતોના દેવા માફી અને અનામતની માગને લઇને ચાલી રહેલ અનિશ્ચિતકાલિન ઉપવાસ આંદોલનના 18માં દિવસે ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત છાવણી પર ઉપસ્થિત રહ્યા હતા. હરીશ રાવતે કહ્યું કે હવે તમારે ઉપવાસ તોડવું જોઇએ અને આ લડાઇ દિલ્હી સુધી પહોંચવી જોઇએ.
किसानों की क़र्ज़ा माफ़ी और आरक्षण की माँग को लेकर चल रहे अनिश्चितकालिन उपवास आंदोलन के अठारहवें दिन उत्तराखंड के पूर्व मुख्यमंत्री और @INCIndia के वरिष्ठ नेता हरीश रावत जी छावनी पर उपस्थित रहे।हरीश रावत जी कहाँ की अब आपको उपवास तोड़ना चाहिए और यह लड़ाई दिल्ली तक पहुचानी चाहिए pic.twitter.com/vqUAr0gtwn