પંજાબ અને ઉત્તરાખંડમાં આગામી વર્ષના પ્રારંભમાં એકસાથે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. કોંગ્રેસ મહાસચિવ હરીશ રાવત પંજાબના પાર્ટી પ્રભારીની સાથે-સાથે ઉત્તરાખંડના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ છે. એવામાં રાવત થોડો સમય ચંડીગઢ અને થોડો સમય દહેરાદૂનમાં આપે છે.
હરીશ રાવત વહન કરી રહ્યાં છે બે મોટી જવાબદારી
કોંગ્રેસને રાજકીય નુકસાન ભોગવવાનો વારો ના આવે તો સારું
હરીશ રાવત કોંગ્રેસનું કદ જાળવવામાં સક્ષમ રહેશે?
કોંગ્રેસે રાજકીય નુકસાન ના ભોગવવુ પડે?
પંજાબની રાજનીતિમાં હલચલ થતી હોવાથી હરીશ રાવત પંજાબને સંપૂર્ણ સમય આપી શકતા નથી અને ઉત્તરાખંડની ચૂંટણી પર પણ ધ્યાન કેન્દ્રીત કરી શકતા નથી. રાવત એકસાથે બે કામ કરતા હોવાથી કોંગ્રેસને રાજકીય નુકસાન ભોગવવાનો વારો ના આવે તો સારું છે.
ઉત્તરાખંડમાં કોંગ્રેસના નેતાઓ વચ્ચે વિખવાદ યથાવત
પંજાબમાં કોંગ્રેસ નેતાઓની વચ્ચે આજે પણ બધુ યોગ્ય ચાલી રહ્યું નથી અને ઉત્તરાખંડમાં નેતાઓ વચ્ચે વિખવાદ યથાવત છે. કોંગ્રેસ 2022ની ચૂંટણીની ગતિ પકડી રહ્યું છે. હરીશ રાવત પંજાબ અને ઉત્તરાખંડની વચ્ચે ઘડિયાળના કાંટાની જેમ ઝૂલી રહ્યાં છે. જોકે, હરીશ રાવત પોતે પંજાબના પ્રભારી પદમાંથી મુક્ત થઈ ઉત્તરાખંડના ચૂંટણી પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે. સુત્રો મુજબ, કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે પણ રાવત પંજાબના પ્રભારી પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
હરીશ રાવત ઉત્તરાખંડમાં કોંગ્રેસમાં સૌથી મોટા કદાવર નેતા
ઉલ્લેખનીય છે કે, હરીશ રાવત અત્યારે ઉત્તરાખંડમાં કોંગ્રેસમાં સૌથી મોટા કદાવર નેતા છે. તેમણે 2022માં મુખ્યમંત્રીનો ચહેરો માનવામાં આવે છે. તાજેતરમાં કોંગ્રેસ હાઈકમાન્ડે હરીશ રાવતની ઈચ્છા પ્રમાણે ઉત્તરાખંડ કોંગ્રેસમાં મોટો ફેરફાર કર્યો છે.