પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ભારે વિવાદની વચ્ચે હવે રાહુલ ગાંધીની નજીકનાં એક નેતાને મોટી જવાબદારી આપવામાં આવી શકે છે.
CM અને અધ્યક્ષ બાદ હવે પ્રભારી બદલશે કોંગ્રેસ
પંજાબમાં પહેલેથી જ ઘમાસાણ વચ્ચે વધુ એક નિર્ણય લેશે રાહુલ ગાંધી
હરીશ ચૌધરીને મળી શકે છે જવાબદારી
ચૌધરીને સોંપાઈ શકે છે મોટી જવાબદારી
પંજાબમાં કોંગ્રેસ પ્રદેશ કમિટી અધ્યક્ષ અને મુખ્યમંત્રી બદલ્યા બાદ હવે કોંગ્રેસ પ્રભારી બદલવા જઈ રહી છે. પંજાબમાં ભારે ઘમાસાણ દરમિયાન રાહુલ ગણાધિ અને પંજાબનાં કોંગ્રેસ નેતાઓ વચ્ચે એક મોટી ભૂમિકા ભજવનાર રાજસ્થાનનાં કેબિનેટ મંત્રી હરીશ ચૌધરીને પંજાબનાં નવા પ્રભારી બનાવાય તેવી શક્યતા છે. હરીશ ચૌધરી વર્તમાન હરીશ રાવતની જગ્યા લેશે. હાલમાં જ સામે આવેલ એક રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે.
સોનિયા ગાંધી માટે માથાનો દુખાવો છે સિદ્ધુ
માનવામાં આવી રહ્યું છે કે શનિવાર સુધી રાવતને ચંડીગઢમાં જ રહેવા માટે આદેશ આપવામાં આવ્યા કે જ્યાં હાલમાં મુખ્યમંત્રી અને સિદ્ધુ વચ્ચે ભારે વિવાદ છેડાયો છે જેને લઈને સમસ્યાનાં સમાધાનને અંતિમ રૂપ આપવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એવામાં રાવતની ભૂમિકા ખૂબ મહત્વની બની રહે છે. પાર્ટી દ્વારા સિદ્ધુને મનાવવા માટે લાખ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એવામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસ માટે પંજાબ એક માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે.
રાવતને ઉત્તરાખંડમાં અપાઈ શકે છે જવાબદારી
નોંધનીય છે કે હરીશ ચૌધરીને રાહુલ ગાંધીનાં નજીકનાં માનવામાં આવે છે અને એવામાં આગામી ચૂંટણીઓમાં ચૌધરી સીએમ અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ વચ્ચે એક સમન્વય બનાવવાનું કામ કરી શકે છે. કોંગ્રેસ મહાયચિવ હરીશ રાવત જે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી છે તેમને પોતાના રાજ્યમાં ફરીથી જવાબદારી આપવામાં આવી શકે છે. નોંધનીય છે કે ટૂંક જ સમયમાં પંજાબની સાથે સતહે ઉત્તરાખંડમાં પણ ચૂંટણી છે.