છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરિપુરા વદેશીયા ગામે પાણીના જળ સ્તર ઊંડા ઉતરી જતા બોર મોટર હેન્ડપપ બંધ પડયા છે ત્યારે રાજ્ય સરકારના પાણી પોહચડવા દાવા પોકળ સાબિત થયા છે. હરીપૂરા વદેશીયા ગામ 1 હજારથી વધુ વસ્તી ધરાવતું ગામ છે. પાણીની સમસ્યાથી પીડાતા હોય રાતના ખેતીનો વિજ પુરવઠો આવે અને ખેડૂતના ખેતરમાંથી પાણી મળે તેની રાહ જોવા લાગ્યા હતા, રાતના વિજ પુરવઠો ન આવતા કલાકો સુધી ગામની મહીલાઓ પાણી માટે કલાકો સુધી બેસી રહી છે.
રાતના 8 પછી ખેતીનો વિજ પુરવઠો આવતા ખેડૂતના ખેતર માથી આવતા પાણી લેવા માટે ગામની મહીલાઓ પુરુષો રીતસરની દોડ લગાવતા હતા. કારણ કે ખેતીનો વિજ પુરવઠો દરરોજ ના સમય મુજબ સવારના 5 વાગે બંધ થઈ જાય અને દીવસનો વિજ પુરવઠો આવતો ન હોય રાતના ઉજાગરા કરી ગ્રામજનો પાણી ભરે છે. મહીલાઓ પાણી ભરવા કલાકોના સમય વીતી ગયા બાદ આખરે મધરાતના પાણી લઈને ઘરે પહોંચે છે. હરિપુરા વદેશીયા ગામે બોરના જળ સ્તર ઊંડા ઉતરી ગયા હોય સિંગલ ફેજ મોટર પાણી ખેંચતુ ન હોય અને થ્રી ફેજ મોટરો ગ્રામ પંચાયત દવારા બોરમા ઉતારવા માટે સક્ષમ ન હોય આખરે જે ખેડૂતના ખેતરમા સિંચાઈની સુવિધા છે ત્યાં રાતના લાઈટ આવતા મહીલાઓ રાતના ઉજાગરા કરી અંધારા ઉલેચી પાણી ભરવા મજબૂર બની છે.
વહીવટી તંત્રના ગામડામાં પાણી આપવાના દાવા ફક્ત દાવા બનીને રહી ગયા છે, પરંતુ હકીકતમાં તંત્ર ગામડામા પોહચતુ ન હોય જેને લઈ પાણીના પ્રશ્નો હજુ પણ યથાવત છે. ગતીશિલ ગુજરાતમાં મહિલાઓને પાણી માટે રાત્રીના ઉજાગરા તંત્ર ક્યારે મુક્ત કરશે તે જોવું રહ્યું.