ચાર દિવસ અગાઉ વડોદરાથી ગુમ થયેલા હરિહરાનંદ સ્વામી આજે જૂનાગઢ ભારતી આશ્રમમાં પરત ફરતાં સ્વામીના સમર્થકોમાં ભારે હાશકારો અનુભવાયો હતો.
હરિહરાનંદ બાપુ જૂનાગઢ ભારતી આશ્રમ પરત ફર્યા
બાપુ પરત ફરતા સમર્થકોને હાશકારો
પ્રોપર્ટી વિવાદ અંગે હરિહરાનંદ બાપુનું નિવેદન
હરિહરાનંદ સ્વામી જૂનાગઢ ભારતી આશ્રમ પરત ફર્યા
ચાર દિવસ અગાઉ કોઈને કાંઈ કહ્યાં વગર વડોદરાથી ગુમ થયેલા હરિહરાનંદ સ્વામી આજે જૂનાગઢ ભારતી આશ્રમમાં પરત ફરતાં સ્વામીના સમર્થકોમાં ભારે હાશકારો અનુભવાયો હતો. બીજી તરફ હરિહરાનંદ સ્વામી જૂનાગઢ ભારતી આશ્રમમાં પરત ફરતાંની સાથે જ પ્રોપર્ટી વિવાદ અંગે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, વિવાદ કરવો મને ઉચિત ન લાગતા હું બધુ છોડી નીકળી ગયો હતો.
ઋષિ ભારતી એ ભારતી બાપુના શિષ્ય નથીઃહરિહરાનંદ સ્વામી
હરિહરાનંદ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, સરખેજ આશ્રમનું વિલ ખોટુ છે. તેમણે જણાવ્યું હતું કે, બ્રહ્મલીન ભારતી બાપુએ સરખેજનું કોઇ વિલ બનાવ્યું નથી. તેમજ ઋષિ ભારતી એ ભારતી બાપુના શિષ્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે, ભારતી બાપુએ મારા નામનું વિલ બનાવવામાં આવ્યું હતું.સરખેજ આશ્રમનું વિલ ખોટું છે.તેમણે કહ્યું કે, વિવાદ કરવો મને ઉચિત ન લાગતા હું બધુ છોડી નીકળી ગયો હતો.
શું છે સમગ્ર મામલો?
જૂનાગઢ ખાતે આવેલ ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ સ્વામી વડોદરાની કપુરાઈ ચોકડીથી ગુમ થયા હતા. જે અંગે કેવડિયા આશ્રમના પરમેશ્વર ભારતીએ વડોદરાનાં વાડી પોલીસ મથકમાં અરજી હતી. ગાદીપતિ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી હરિહરાનંદ મહારાજ ગત તા. 30 રોજ આશ્રમ કેવડિયાથી અમદાવાદ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે નીકળ્યા હતા ત્યાર બાદ વડોદરા શહેરમાં રહેતા તેમના સેવક રાકેશભાઇને ત્યાં રાત્રિ ભોજન કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓએ કારેલીબાગ ખાતે તેમના શિષ્ય કાળુ ભારતી પાસે જવાની ઈચ્છા વ્યક્ત કરતા સેવક રાકેશભાઇ તેઓને કાર મારફતે લઇ જઇ કપુરાઇ ચોકડી પાસે આવેલી પોલીસ ચેકપોસ્ટની ઉતાર્યા હતા. ત્યારબાદ તેઓ આશ્રમે પરત ફર્યા ન હતા જે અંગેની વિગત પોલીસ સમક્ષ જાહેર થવા પામી હતી. આ માહિતીને લઈને પોલીસે ગુમ થવાનું કારણ શોધવા તેમજ સીસીટીવી અને મોબાઈલ લોકેશન તથા સેવકોની તપાસ સહિતની કામગીરીનો ધમધમાંટ શરૂ કર્યો હતો. આ અંગે માહિતી આપનારને ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. કોલ ડિટેલના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને વાડી પોલીસ દ્વારા ઓપરેશન હાથ ધરતા હરીહરાનંદ બાપુ સુરત નજીકના નાસિક આશ્રમ પાસેથી મળી આવ્યાની છે. આથી વડોદરા પોલીસ અને પોલીસ ટીમો બાપુને લઇને બપોરે પરત ફરી હતી.