કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હરિદ્વારમાં યોજાનારા કુંભ મેળો 2021માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP)જાહેર કરી છે. એસઓપીમાં લખ્યું છે કે કુંભ મેળો 27 ફેબ્રુઆરીથી 30 એપ્રિલ 2021 સુધી શરૂ થઈ શકે છે.
કુંભમેળાને લઈને સરકારે જાહેર કરી ગાઇડલાઇન
કોરોના ટેસ્ટ કરાવનારને જ મળશે એન્ટ્રી
તમામ યાત્રાળુઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરિયાત છે
ભક્તોએ કોરોનાનો નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ (72 કલાકથી વધુનો નહીં) લાવવો પડશે, ત્યારબાદ જ મેળામાં પ્રવેશ મળશે. સંભવ છે કે મેળામાં દરરોજ 10 લાખ લોકો આવે છે, જ્યારે 50 લાખ લોકો તહેવારના સ્નાન અથવા શાહી સ્નાન દરમિયાન આવી શકે છે. ઉત્તરાખંડ સરકારે સુનિશ્ચિત કરવું પડશે કે કુંભ મેળામાં ફક્ત તે જ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન વર્કરો પોસ્ટ કરવામાં આવ્યા છે, જેને કોરોના રસી મળી છે.
તમામ યાત્રાળુઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરિયાત છે
ઉત્તરાખંડ સરકારે અમરનાથ યાત્રાની તર્જ પર આ યાત્રા કરવી પડશે. એટલે કે, બધા ભક્તો નોંધાયેલા હશે અને મેડિકલ પ્રમાણપત્ર લાવવું આવશ્યક છે. એટલે કે, જે ભક્તો કુંભ મેળામાં આવવા માંગે છે, તેઓએ ઉત્તરાખંડ સરકાર પાસે નોંધણી કરાવી લેવી પડશે અને નજીકના સમુદાય આરોગ્ય કેન્દ્ર અથવા જિલ્લા હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજમાંથી તબીબી પ્રમાણપત્ર પણ લાવવું પડશે. ઉત્તરાખંડ સરકારે આ બાબતને તમામ રાજ્યોમાં સારી રીતે પ્રોત્સાહન આપવું પડશે.
જો શ્રદ્ધાળુ મેડિકલ સર્ટિફિકેટ લઈને નહીં આવે તેમને કુંભમેળામાં પ્રવેશવાની મંજૂરી નહીં મળે. 65 વર્ષથી ઉપરના લોકો, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકો તથા ગંભીર બીમારીગ્રસ્ત લોકોને કુંભ મેળામાં ન આવવાનું જણાવાશે.