હરિધામ સોખડા મંદિરનો વિવાદ હવે પોતાની પરાકાષ્ઠા સુધી પહોંચી ગયો છે. હવે પ્રબોધ સ્વામી જૂથના 250 સંતો-સાધકો હરિધામ છોડવાનો નિર્ણય લીધો છે.
હરિધામ સોખડા મંદિરનો વિવાદ પરાકાષ્ઠા પર
પ્રબોધ સ્વામી જૂથના સંતો હરિધામ છોડશે
સંતો ભરથાણા સ્થિત આત્મીય સંકુલ જશે
હરિધામ સોખડા મંદિરનો વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો
સોખડા ખાતે આવેલા સ્વામિનારાયણ સંસ્થા હરિધામના ગાદીપતિ માટે પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે ચાલી રહેલા ભારે વિવાદમાં આખરે જે શંકા હતી તે સાચી ઠરી છે. પ્રબોધસ્વામીએ હરિધામ છોડવાનો નિર્ણય લઇ લેતા ખળભળાટ મચી ગયો છે બીજી તરફ પ્રબોધસ્વામીના આ નિર્ણયથી હાલમાં મંદિરનો વહિવટ સંભાળી રહેલા પ્રેમસ્વરૂપ સ્વામીના જૂથમાં સન્નાટો વ્યાપી ગયો છે.
પ્રબોધ સ્વામી જૂથના 250 સંતો-સાધકો હરિધામ છોડશે
યોગી ડિવાઇન સોસાયટી અને હરિધામ પર વર્ચસ્વની આ લડાઇ દિવસે દિવસે તેજ બની રહી હતી. જેમાં મહિલા સાધકો અને મહિલા સત્સંગી મંડળો દ્વારા પણ ગંભીર આક્ષેપો થવા લાગ્યા હતા. ધાર્મિક અને રાજકીય અગ્રણીઓ દ્વારા પણ સમાધાનના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ નિષ્ફળ ગયા હતા. તેવામાં આજે પ્રબોધ સ્વામી સહિત હરીધામમાં નિવાસ કરતાં 200થી 250 જેટલા સંતો-સાધકો કામરેજ ભરથાણ ખાતે આવેલી આત્મીય સ્કૂલ ખાતે તા.21મીએ જવા રવાના થશે.
મંદિર મેનેજમેન્ટે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર મંદિર નહીં છોડવા નોટિસ આપી
બીજી તરફ હરિધામ મંદિર મેનેજમેન્ટે મંદિર પરીસરમાં જાહેર નોટિસો લગાવવામા આવી છે કે જેમાં જણાવ્યું છે કે, જે સંતો, સાધકો, સાધ્વી બહેનો અને સેવકો અગામી દિવસોમાં હિરધામ સોખડા છોડીને અન્યત્ર જવા માગતા હોય તેઓએ નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને જ જવુ. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર હરિધામ સોખડા પરિસર છોડવાની મંજૂરી મળી શક્શે નહી. આ સાથે મંદિરનો એક જ ગેટ ખુલ્લો રખાયો છે. અને ત્યાં બાઉન્સરો તૈનાત કરાયા છે.