સોખડા ધામમાં પ્રબોધસ્વામી સાથે અઘટિત ઘટના બની છે. તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સોખડા હરિધામના હરિભક્તોએ અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
સોખડા હરિધામ વિવાદના પડઘા અમદાવાદમાં
હરિભક્તોએ અમદાવાદ કલેક્ટરને આપ્યું આવેદન
પ્રેમસ્વરૂપ સ્વામીને હટાવવા હરિભક્તોની માંગ
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા મંદિરમાં વિવાદો બંધ થવાનું નામ જ નથી લેતાં. મહત્વનું છે કે, હરિધામ સોખડા મંદિરમાં ફરી એકવાર સંતો વચ્ચે વિવાદ સામે આવ્યો છે.જેમાં પ્રબોધસ્વામી સાથે મંદિરમાં અડધી રાત્રે ગેરવર્તન થયું હોવાના આક્ષેપ હરિભક્તો કર્યા છે. જેના પ્રત્યાઘાતો છે કે, અમદાવાદ સુધી જોવા મળી રહ્યાં છે.
વડોદરાના સોખડા ધામમાં વિવાદના પડઘા અમદાવાદમાં
સોખડા હરિધામમાં પ્રબોધસ્વામી સાથે અઘટિત ઘટના હતી. જેના ભાગરૂપે સોખડાના હરિભક્તોએ મોટી સંખ્યામાં અમદાવાદ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં હરિભક્તોએ કલકેટર સમક્ષ ન્યાયની માંગ કરી છે. તેમજ પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો પ્રબોધ સ્વામી સાથે થયેલી ઘટના વખોડી કાઢીને વિરોધ વ્યક્ત કર્યો છે. આ સાથે હરિભક્તોએ જણાવ્યું હતું કે, પ્રબોધ સ્વામી સાથે મંદિરમાં ઘણો અત્યાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. તેમજ પ્રેમસ્વરૂપ સ્વામીને હટાવવા હરિભક્તોની માંગ કરી હતી.
હરિભક્તોનો દાવો, ત્યાગવલ્લભ સોખડા છોડી દે તો બધુ શાંત થઈ જાય
બીજી તરફ સોખડા સ્વામિ નારાયણ મંદિરના વિવાદના મુદ્દે હરિભક્તો વડોદરા કલેકટર કચેરીએ પહોંચ્યા હતાં. જ્યાં હરિભક્તોએ કલેકટર સમક્ષ પ્રેમ સ્વરૂપના જૂથે સામે મંદિરમાં ભયનો માહોલ ઉભો કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ ત્યાગવલ્લભ સ્વામીએ રાજકોટની સંસ્થામાં ગોટાળા કર્યા તેવો આરોપો કર્યા હતાં. તેમજ હરિભક્તોનો દાવો કર્યો હતો કે, ત્યાગવલ્લભ સોખડા છોડી દે તો બધુ શાંત થઈ જાય આ સાથે હરિભક્તોને મંદિરમાં ગોંધી રાખ્યાનો પણ આરોપ લગાવ્યા હતાં.