બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્વામીઓની લંપટ લીલાઓને લઈ હરિભક્તોમાં રોષ ભભૂક્યો, ગઢડા મંદિરમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન
Last Updated: 11:59 AM, 16 June 2024
સ્વામીઓની લંપટ લીલાઓના વિરોધમાં હરિભક્તો મેદાને પડ્યા છે.. મોટી સંખ્યામાં હરિભક્તોએ ગઢડા મંદિર પહોંચીને વિરોધ પ્રદર્શન યોજ્યુ હતું. સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતી દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું.. વિરોધ પ્રદર્શન કરી રહેલા હરિભક્તોએ લંપટ સ્વામીઓને હોદ્દા પરથી દુર કરવા માંગ કરી હતી.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા સ્વામી નારાયણ મંદિર ખાતે હાથમાં બેનરો લઇ એકત્ર થયા હતા અને લંપટ સ્વામીઓને દુર કરવાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની દલીલ હતી કે આવા લંપટ સ્વામીઓને કારણે તેમને સહન કરવું પડે છે અને તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેમની સામે આંગળી ચીંધવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ખુલાસો, પીડિતાનો કરાવાયો હતો ગર્ભપાત
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.