બનાસકાંઠાના પાલનપુરમાં મંત્રી હરિભાઈ ચૌધરી કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં હરિભાઇ ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે કે મારા પર લાગેલા આરોપ સાબિત થશે તો રાજકારણ છોડી દઈશ. આ સાથે જ તેમણે લાગેલા તમામ આક્ષેપને પાયાવિહોણા પણ ગણાવ્યા હતા.
હરિભાઈએ તેમના પર લાગેલા આરોપ પર નિષ્પક્ષ તપાસ કરવાનુ પણ કહ્યુ હતું. સાથે જ તેમણે કહ્યુ કે અત્યાર સુધીમાં મારા ઝભ્ભા પર કોઈ ડાઘ લાગેલો નથી. હું ઓળખતો નથી તેણે મારા પર આક્ષેપ કર્યા છે.
#Banaskantha લાંચ આક્ષેપ મામલે હરિભાઈનું નિવેદન હરિભાઈ ચૌધરીએ આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા સરકારે મામલાની નિષ્પક્ષ તપાસ કરાવે આરોપ સાબિત થશે તો રાજકારણ છોડી દઈશ હું જેને ઓળખતો નથી તેને મારા પર આક્ષેપ કર્યા મારા ઝભ્ભા પર એક ડાઘ નથીઃ હરિભાઈ ચૌધરી pic.twitter.com/hIZDpfmcTh
મહત્વનું છે કે 2 કરોડની લાંચ લીધી હોવાનો હરિભાઈ ચૌધરી પર આક્ષેપ લાગ્યો છે. લાંચના આક્ષેપ બાદ હરિભાઈ ચૌધરી સોમવારે ભાજપની કચેરીએ પહોંચ્યા હતા. ભાજપની કચેરીએ આવ્યા બાદ પ્રથમ વખત હરિભાઈ ચૌધરી જાહેર કાર્યક્રમમાં પહોંચ્યા હતા.