ભારતી આશ્રમના મહંત હરી હરાનંદ બાપૂ કોરોના સંક્રમિત થતાં અમદાવાદની હોસ્પિટલમાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
મહંત હરિ હરાનંદ બાપુ કોરોના સંક્રમિત
બાપુના શિષ્ય યદુનંદન ભારતી બાપૂએ આપી માહિતી
હરિ હરાનંદ બાપુના ભક્તોમાં જન્મી ચિંતા
ભારતી આશ્રમના મહંત હરિ હરાનંદ બાપુ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં તેમની તબિયત બગડતા તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેને લઇને ભકતોમાં ચિંતા જન્મી છે અને તેમના સારા સ્વાસ્થ માટે ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે.
હરિ હરાનંદ બાપુના ભક્તોમાં ચિંતા જન્મી
છેલ્લા કેટલાય સમયથી કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે ઉછાળો આવી રહ્યો છે. કોરોના કહેરને પગલે દેશમાં કોરોનાની ચોથી લહેર બિલ્લી પગે આવી રહી હોય તેવા ભણકારા વાગી રહ્યા છે. તેવામા જૂનાગઢ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં જાણીતા ભારતી આશ્રમના મહંત હરિ હરાનંદ બાપુને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. તેમની તબિયત બગડતા અને કોરોનાના સંભવિત લક્ષણ જોવા મળતા તાબડતોબ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેમને કોરોના થયો હોવાનું સામે આવ્યું હતું. આથી તેમને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આ અંગેના વાવડ વહેતા થતાં હરિ હરાનંદ બાપુના ભક્તોમાં ચિંતા જન્મી છે અને તેમના સારા સ્વાસ્થની કામના કરી રહ્યા છે.
હરી હરાનંદ ભારતી બાપૂની તબિયત સુધારા પર
ભારતી આશ્રમના મહંત હરી હરાનંદ બાપૂ કોરોના સંક્રમિત થયા હોવાની હરી હરાનંદ બાપુના શિષ્ય યદુનંદન ભારતી બાપૂએ માહિતી આપી હતી. હાલ મહંત હરી હરનંદ ભારતી બાપૂની અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહી છે. નોંધનિય છે કે, હરી હરાનંદ ભારતી બાપુ તાજેતરમાં વડોદરાથી ગુમ થયા હતા. તેઓનો ભારતી આશ્રમની પ્રોપર્ટીનો કેસ ચાલી રહ્યો છે. જે સરખેજ આશ્રમ વિવાદ મામલે મહંત હરિ હરાનંદ બાપુ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં રહ્યા છે.