ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસ મામલે CBI અને ગુજરાત સરકારની અપીલ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે અને કેસ ફેર તપાસની માંગ ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના ચુકાદાને માન્ય ગણીને 12 આરોપીમાંથી 7ને દોષિત માન્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે 2011માં 12 આરોપીઓની દોષમુક્ત જાહેર કર્યા હતા. જેને પગલે ગુજરાત સરકાર અને CBIએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
2003 Gujarat Home Minister Haren Pandya murder case: Supreme Court upholds conviction of the seven accused. pic.twitter.com/qfGtYgu1WU
જજ અરૂણ મિશ્રાની નેતૃત્વવાળી પીઠએ NGO ટસેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન્સટની ફેર તપાસની માંગ ફગાવી દીધી છે જેમણે હત્યાની કોર્ટમાં દેખરેખની ફરી તપાસ કરવાની માંગ કરી હતી. આ અપીલ પર કોર્ટે 50000 રૂપિયાનો દંડ પણ ફટાકર્યો છે.
Supreme Court dismisses with a cost of Rs 50000, a PIL filed by Centre for Public Interest Litigation seeking a fresh, court-monitored probe in the case saying several new facts have emerged recently which required fresh investigation into the murder case. https://t.co/02tVG0lv0X
હરેન પંડ્યા ગુજરાતમાં નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી તત્કાલિન રાજ્ય સરકારમાં ગૃહમંત્રી હતા. અમદાવાદમાં સવારે જોગિંગ કરી રહ્યા હતા ત્યારે તેમની ગોળી મારી હત્યા હત્યા કરવામાં આવી હતી.