પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા કેસમાં મુખ્ય સૂત્રધાર અસગરઅલીને આખરે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. ગુરુવારે તેને સીબીઆઈ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે અસગરઅલીને જ્યૂડીકસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.
રાજ્યના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ અસગરઅલી સહિત અન્ય 8 દોષીતોને સજા સંભળાવી હતી. અસગરઅલી 12 કિલો ચરસના કેસમાં હૈદરાબાદ જેલમાં બંધ હતો. ત્યાંથી સીબીઆઈએ તેની ધરપકડ કરી અમદાવાદ લવાયો હતો. અઝગર અલીને કોર્ટમાં રજૂ કરાયો હતો. સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની 26 માર્ચ 2003માં લો ગાર્ડન નજીક ગોળી મારી હત્યા કરાઈ હતી. આ હત્યાના ગુનામાં અસગરઅલીને સુપ્રીમ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. અસગરને મૃત્યુ ન પામે ત્યાં સુધી જેલ વાસ ભોગવવાની સુપ્રીમ કોર્ટે સજા આપી છે.
મહત્વનું છે કે તેલંગણા પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ શખ્સને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરાયો હતો.
સેશન્સ કોર્ટનો ચુકાદોઃ પોટા કોર્ટના જજે સાક્ષી અનિલ યાદવરામની જુબાની અને હત્યાના હથિયાર, કોલ ડિટેઇલ્સ અને હૈદરાબાદના અસગરઅલીની અમદાવાદમાં હાજરી સહિતની બાબતોને ધ્યાને રાખીને 12 આરોપીઓને દોષી જાહેર કરીને સજા આપવામાં આવી હતી.
હાઇકોર્ટનો ચુકાદોઃ જજ ડીએચ વાઘેલા અને જજ જેસી ઉપાધ્યાયની બેન્ચ સાક્ષી નજરે જોનાર સાક્ષી યાદવરામની જુબાની ગ્રાહ્ય નહોતી રાખી. અને સીબીઆઇની તપાસને અયોગ્ય ઠેરવી આરોપીઓને દોષમુક્ત ઠેરવવાનો આદેશ આપ્યો હતો.
જ્યારે સુપ્રિમ કોર્ટે 7 આરોપીઓને જન્મટીપની સજા સંભળાવી હતી. જેમાં અનાર મહમ્મદ અસગરઅલીને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારવામાં આવી છે.